ગીર સોમનાથ: ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં યોજાય બેઠક, મુહિમ તેજ બનાવવા આગેવાનોએ કર્યું આહવાહન

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર જંગલની આસપાસ સૂચિત ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને લઇ ગીર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.

New Update

ગીર સોમનાથ જિલ્લામાં બેઠકનું આયોજન

ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં યોજાય બેઠક

સરપંચથી લઇ સાંસદ રહ્યા ઉપસ્થિત

વિરોધની મુહિમ તેજ બનાવવા આહવાહન

કિસાન સંઘના નેજા હેઠળ બેઠક યોજાય

સૂચિત ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાને નાબૂદ કરવાની માંગ સાથે ગીરના પાટનગર તાલાલા ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરપંચથી લઇ સાંસદ સુધીના જન પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાય હતી
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર જંગલની આસપાસ સૂચિત ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને લઇ ગીર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને ગિરના ગ્રામજનોનું માનવું છે કે ઇકો સેન્સેટિવ જોન લાગુ થતા વન વિભાગની ગુલામીમાં ગ્રામજનોને ફસાઈ જવાની ફરજ પડશે. ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને અસર કરતા ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાનો પ્રચંડ વિરોધ ઉઠી રહ્યો છે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ સુચિત ઈકો સેન્સેટીવ ઝોન નાબૂદ કરવા માટેની માંગ પ્રબળ બની રહી છે. છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે ગીરના પાટનગર તાલાળા ખાતે એપીએમસીમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખો અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના જવાબદાર આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.જેમાં ઇકોસ સેન્સેટિવ ઝોન સામે 60 દિવસમાં વાંધા રજૂ કરવાની મુહીમ તેજ બનાવવામાં આહવાન કરવામાં આવ્યુ હતું.ગીરમાં સૂચિત ઇકો ઝોન સામે નો જન આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આ મુદ્દે આગામી સમયમાં કેવી સ્થિતિ સર્જાશે તે તો સમય જ બતાવશે.
Read the Next Article

“તેરા તુઝકો અર્પણ” : સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીં, પણ ભરોસાની નવી ચાવી : DGP વિકાસ સહાય

ગુજરાત પોલીસની “તેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે...

New Update
  • ગુજરાત રાજ્ય માટે અસરકારક સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલ

  • પોલીસનાતેરા તુઝકો અર્પણ” અભિયાનને સાંપડ્યો પ્રતિસાદ

  • સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવામાં સરળતા

  • અનેક ભોગ બનનારને ઉકેલ મેળવવા મદદરૂપ થયું છે પોર્ટલ

  • સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ :DGP વિકાસ સહાય

સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલતેરા તુઝકો અર્પણ” પહેલ ગુજરાત માટે અસરકારક સાબિત થઈ રહી છે. સામાન્ય જનતાને ટેકનોલોજીની માયાજાળમાં ફસાવી આજે અનેક છેતરપિંડીના કેસો બને છેત્યારે ગુજરાત પોલીસનીતેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે'સાઈબર ક્રાઈમ રિફંડ પોર્ટલએટલે કેતેરા તુઝકો અર્પણ" અભિયાન શરૂ કર્યું છે. જે ઓનલાઇન ઠગાઈના શિકાર થયેલા લોકોને મદદરૂપ બને છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયએ જણાવ્યુ હતું કેઆ પોર્ટલ ઉપર ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ છે અને ફરિયાદ ઝડપથી પોલીસ સેલ સુધી પહોંચે છે.

જોકેઆ પોર્ટલ ઉપર કોઈ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિ સીધી જ ફરિયાદ નોંધાવી શકે છે. જેને સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ટ્રેક કરવામાં આવે છેત્યારબાદ પૈસા પરત મેળવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ ઉપરાંતહેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકાય છે.

આ પોર્ટલની ખાસિયત એ છે કેતે રીઅલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા આપે છે. જેના કારણે નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. અનેક કેસોમાં માત્ર 24થી 48 કલાકમાં પૈસા પાછા મળ્યા છે. ગાંધીનગરના રહેવાસી તબીબ પણ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતાત્યારે સાયબર સેલની મદદથી તેમને 48 કલાકમાં જ તેમના પૈસા પરત મળી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કેહજારોથી વધુ લોકોને આ પોર્ટલ દ્વારા રાહત મળી ચૂકી છે. તેવામાં સાઇબર ક્રાઈમ સામે લડવાની આ નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીંપણ ભરોસાની નવી ચાવી છે.