ગીર સોમનાથ:મનોદિવ્યાંગ બાળકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

મનોદિવ્યાંગ મહેમાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા.

New Update
  • સોમનાથમહાદેવના દર્શન કરતા મનોદિવ્યાંગબાળકો

  • સાંપ્રત ટ્રસ્ટ દ્વારા કરાયું હતું દર્શન માટે આયોજન

  • સોમનાથટ્રસ્ટ દ્વારા બાળકોને આપ્યો ઉમળકાભેર આવકાર

  • પૂજન અર્ચન,ધ્વજ પૂજા સહિત મહાપ્રસાદીનોલ્હાવો લેતાબાળકો

  • સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખેસોમનાથ ટ્રસ્ટનોઆભારવ્યક્ત કર્યો

શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો મનોદિવ્યાંગ બાળકોએલ્હાવો લીધો હતો.મંદિર ટ્રસ્ટ દ્વારા બૌદ્ધિક રીતે અસમર્થ બાળકોને આતિથ્ય આપીને ધ્વજ પૂજન અને ભોજન પ્રસાદ કરાવીનેતેઓના મુખે રેલાવવાનોપ્રયાસ કર્યો હતો.

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને80જેટલા દિવ્યાંગ બાળકો માટે દર્શન-પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા.

તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા. તેમજ ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવ પૂર્વક ધ્વજા પૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.આ સાથે સોમનાથ દાદાના વહાલાભક્તો તરીકે તમામ દિવ્યાંગો અને તેમના સેવકોને મોંઘેરા મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગેપ્રધાનમંત્રીનરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં દિવ્યાંગો માટે સોમનાથ તીર્થમાં કરાયેલ વ્યવસ્થાથીઅભિભૂત થઈનેમનોદિવ્યાંગબાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્ર પરમારે ટ્રસ્ટપરિવારનોઅંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

જૂનાગઢ : રાજ્યના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના પુત્ર અને એક વેપારીની ધરપકડ,1001 એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડનો જથ્થો જપ્ત

જૂનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા સામે ગુજસીટોકનો ગુન્હો નોંધ્યો હતો,ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગતો રહ્યો છે.જોકે પોલીસ તેને દબોચી લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે,

New Update
  • લિસ્ટેડ બુટલેગર સામે ગુજસીટોકનો મામલો

  • ધીરેન કારિયા પોલીસ પકડથી છે દૂર

  • પોલીસે તેના પુત્ર અને વેપારીની કરી ધરપકડ

  • ક્રાઇમ બ્રાન્ચે 1001 એક્ટિવ સીમકાર્ડ કર્યા જપ્ત

  • બોગસ સીમકાર્ડમાં રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા

જૂનાગઢના ગુજસીટોક કેસમાં લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ફરાર છે.પરંતુ કુખ્યાત આરોપીને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાના હેતુથી સંગ્રહ કરીને રાખેલા ગુજરાત બહારના 1001 એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે રાધનપુરના એક વેપારી અને બુટલેગરના પુત્રની ધરપકડ કરી છે.

જૂનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા સામે ગુજસીટોકનો ગુન્હો નોંધ્યો હતો,ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગતો રહ્યો છે.જોકે પોલીસ તેને દબોચી લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે,અને ધીરેન કારિયા સુધી પહોંચવાની પ્રથમ મહત્વની કડી પોલીસના હાથે લાગી છે.અને ચોંકાવનારી હકીકત બહાર આવી છે.ફરાર આરોપીને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાના હેતુથી સંગ્રહ કરીને રાખેલા ગુજરાત બહારના 1001 એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે રાધનપુરના એક વેપારી અને બુટલેગરના પુત્રની ધરપકડ કરી છે.

બુટલેગર ધીરેન કારીયા સામે જૂનાગઢ પોલીસે ગુજસીટોકનો ગુન્હો દાખલ કર્યો હતો અને તેને પોલીસ શોધી રહી હતીજે તપાસમાં જૂનાગઢ એલસીબી પી.આઈ. જે.જે.પટેલને હકીકત મળી જેના આધારે બુટલેગરના પુત્ર પરમ ધીરેન કારીયાને ઝડપી લેવાયો અને એનો મોબાઈલ ચેક કરતા તેમાં રાજ્ય બહારના એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડ મળી આવ્યા હતા. જેની તપાસમાં આ સીમકાર્ડ તેણે પોતાના કુટુંબી મામા સંદીપ ઉર્ફે બંટી મારફતે બહારના રાજ્યથી ધરમ ઉર્ફે ધવલ વૃંદાવન રતિલાલ મીઠીયા મારફત મેળવ્યા હતા. જે અંગે ગત 30 મેના રોજ પોલીસે બી ડિવિઝન પોલીસમાં જાણવા જોગ એન્ટ્રી કરીને વધુ તપાસ શરુ કરી હતી અને તે તપાસમાં પાટણના રાધનપુરમાં અમીપુરાના મોબાઈલના ધંધાર્થી ભરત શંકર પરમારને ત્યાં જૂનાગઢ એલસીબીએ સર્ચ કરતા અહીંથી 1001 જેટલા એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડનો જથ્થો મળી આવ્યો હતોજે પોલીસે કબજે કર્યો અને આ કેસમાં હાલ ભરત પરમાર અને ધીરેનના પુત્ર પરમ કારીયાની એલસીબીએ ધરપકડ કરીને બી ડિવીઝનના ગુન્હો નોંધાવ્યો અને આગળની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કેઆ ગુન્હો અતિ ગંભીર છેજેમાં રાજ્ય બહારના એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડનો જથ્થો મળી આવ્યો છે અને બોગસ સીમકાર્ડનો રાજ્યવ્યાપી રેકેટ પણ ચાલતું હોવાની આશંકાને લઈને સમગ્ર મામલાની તપાસ હવે જૂનાગઢ એસઓજી કરી રહી છે. ત્યારે આ કેસમાં ધીરેન કારીયાની પત્ની નિશાબેન કારીયા સાથે ભરથ અંબુલાચંદનકુમાર મોહંતીસંદીપ ઉર્ફે બંટી જગદીશ અઢીયાની પણ સંડોવણી સામે આવતા તેની પણ પોલીસ અટકાયત કરશે.ઉલ્લેખનીય છે કે ધીરેન કારીયાની પત્ની નિશાબેન જૂનાગઢ મનપામાં ભાજપના પૂર્વ નગરસેવિકા તરીકે ચૂંટાયા હતા.