Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: પાટીદાર સમાજની સિનિયર સિટીઝન તીર્થયાત્રાનું આગમન, વડીલોએ કર્યા મહાદેવના દર્શન

પાટીદાર સમાજ દ્વારા અનોખી પહેલ, યુવાનો દ્વારા સિનિયર સિટીઝન તીર્થયાત્રાનું કરાયુ આયોજન.

X

ગીર સોમનાથ જીલ્લામાં આવેલા પ્રથમ જયતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના 4500 જેટલા વડીલોએ દર્શન કર્યા હતા. આ અંગેનું આયોજન 42 લેઉઆ પાટીદાર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉત્તર ગુજરાત બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ઐતિહાસિક સિનિયર સિટીઝન તીર્થયાત્રા ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ જયતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં 4500 વડીલોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ખાસ આ યાત્રામાં 600થી વધુ સ્વયંસેવકો વડીલોની સેવામાં ખડેપગે રહેશે. તથા વડીલોની યાત્રા હોવાથી તમામ યાત્રા દરમિયાન 3 ICU ઓન વ્હીલ , 3 એમ્બ્યુલન્સ અને 15 ડૉકટર સેવામાં ઉપસ્થિત રહેશે. વધુમાં 25થી વધુ મિકેનિકલ ટીમ અને 300 વ્હીલચેર સહિતની પણ સગવડ કરવામાં આવી છે.

Next Story