ગીર સોમનાથ : મહાદેવના ભક્તોને ઘર બેઠા કૃપા પ્રસાદ પહોંચાડવાની સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરાયો

સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર રૂપિયા 25માં  બિલ્વ પૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે,

New Update
  • સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજાની વ્યવસ્થા

  • મહાશિવરાત્રીએ યોજવામાં આવી હતી પૂજા

  • દેશભરમાંથી ભક્તોએ ઓનલાઇન પૂજામાં કરાવ્યું હતું બુકિંગ

  • રૂ.25માં ભક્તોને ઘરે બેઠા મળશે ભસ્મ,રુદ્રાક્ષ અને બિલ્વ પત્રનો પ્રસાદ

  • ટ્રસ્ટ દ્વારા કૃપા પ્રસાદ પોસ્ટના માધ્યમથી વિતરણ શરૂ કરાયું   

Advertisment

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર રૂપિયા 25માં  બિલ્વ પૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મરુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે,ઘર બેઠા જ ભક્તોને કૃપા પ્રસાદનો લ્હાવો મળશે. 

ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ માત્ર રૂપિયા 25માં બિલ્વ પૂજા સેવા  લોન્ચ કરવામાં આવી હતી. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી છે. જ્યાં 3.56 લાખથી વધુ ભક્તોએ એક સાથે એક જ પૂજામાં ભાગ લીધો જે એક અનોખો વિક્રમ છે.દેશભરના તમામ રાજ્યો માંથી ભક્તોએ ઓનલાઇન પૂજા માટે બુકિંગ કરાવ્યું હતું,અને આ વિશેષ પૂજાના પ્રસાદના ભાગરૂપે ભક્તોને ઘર બેઠા જ ભસ્મ,રુદ્રાક્ષ તેમજ બિલ્વ પત્ર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે.

ભક્તો માટે આ પવિત્ર સેવાના સંપૂર્ણતઃ તત્કાળ અનુસંધાન તરીકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કૃપા પ્રસાદરૂપે ભસ્મરુદ્રાક્ષ અને બિલ્વપત્ર ભક્તોના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.વિશ્વના સૌથી વિશાળ પોસ્ટ નેટવર્ક ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આ પ્રસાદ વિતરણમાં સહયોગ આપવામાં આવી રહ્યો છેજેથી 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસ મારફત કૃપાપ્રસાદ દેશભરના ભક્તો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોએ બુક કરેલા સરનામે સન્માનપત્રરુદ્રાક્ષભસ્મ અને બિલ્વપત્ર સમાવવા સાથે વિશેષ એન્વેલપ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે દરરોજ 100 જેટલા સ્થાનિક યુવક-યુવતીઓ આ સેવા કાર્યમાં જોડાઈએન્વેલપ તૈયાર કરી રહ્યા છેજેનાથી રોજગારની નવી તક પણ સર્જાઈ છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારગીર-સોમનાથ જિલ્લા કલેકટર  ડી.ડી. જાડેજા અને સચિવ યોગેન્દ્ર દેસાઈએ આ યુવક યુવતીઓ દ્વારા ચાલી રહેલા કાર્યની મુલાકાત લીધી હતી. તેમજ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.સોમનાથ મંદિર ખાતેથી પ્રથમ કવરોનો સમૂહ જેમાં 70 હજાર જેટલા કવરોનુ પ્રસ્થાન  શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારગીર-સોમનાથ જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજા અને સચિવ યોગેન્દ્ર દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. 

 

Advertisment
Latest Stories