ગીર સોમનાથ : સ્વ. મિત સોલંકીના સ્મરણાર્થે આયોજિત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો...

ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ કોડીનાર આયોજિત સ્વ. મિત શિવાભાઇ સોલંકીના સ્મરણાર્થે ઓપન ગુજરાત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો ભવ્ય પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો.

New Update
ગીર સોમનાથ : સ્વ. મિત સોલંકીના સ્મરણાર્થે આયોજિત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો...

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ કોડીનાર આયોજિત સ્વ. મિત શિવાભાઇ સોલંકીના સ્મરણાર્થે ઓપન ગુજરાત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો ભવ્ય પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના છારાઝાંપા વિસ્તાર સ્થિત નગરપાલિકા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ કોડીનાર આયોજિત સ્વ. મિત શિવાભાઇ સોલંકીના સ્મરણાર્થે ઓપન ગુજરાત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો ભવ્ય પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો.

Advertisment

રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટના ભવ્ય સમાપન વેળા કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન ડો. ભગવત કરાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમના ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મજમુદારના કંઠે મ્યુઝિકલ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સૌરાષ્ટ્રમાં આ પ્રકારે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરની વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisment
Latest Stories