સંભવત પૂરની પરિસ્થિતીને પહોચી વળવા NDRF અને SDRFની ટીમ તૈનાત કરાય...

ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.

New Update

ગીર સોમનાથ જીલ્લામાં સંભવત પૂરની પરિસ્થિતીને પહોચી વળવા માટે વેરાવળના સમુદ્ર કાંઠા પંથકમાં વહીવટી તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

Advertisment W3.CSS

ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સંભવત પૂરના પાણીના ભયજનક નીચાણવાળા વિસ્તારો અને તેનાથી પ્રભાવિત વિસ્તારની ભૌગોલિક સ્થિતિ જાણવા ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીએ NDRFની ટીમને સાથે રાખી વિવિધ સ્થળે મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં તાલુકા વિકાસ અધિકારીમામલતદારપાલિકા ચીફ ઓફિસરપોલીસ સહિત ફાયર વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. આ સાથે જ લોકોને કુદરતી આફતો સામે કેમ રક્ષણ મેળવવું તેની જાગૃતિ માટે સંપર્ક મુલાકાત અને ડેમોસ્ટ્રેશન કરી લોકો પોતાનો બચાવ પોતાની મેળે કરી શકે તે અંગે માર્ગદર્શન અપાવામાં આવ્યું હતું.

 

Read the Next Article

ભરૂચ: મહંમદપુરા વિસ્તારમાં બકરી ઇદ નિમિત્તે બકરા બજાર ધમધમ્યુ, 1 લાખ સુધીના બકરાનું વેચાણ

સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરુ રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે ત્યારે ભરૂચમાં બકરા બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે

New Update

સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરુ રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે ત્યારે ભરૂચમાં બકરા બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે

બકરા ઈદનું  મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે બકરા ઈદના દિવસે  પશુઓની કુરબાની અપાય છે ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને બે વર્ષ અઢી વર્ષ સુધી પોતાના ઘરમાં  પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને અલ્લાહની રાહમાં પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઈબાદત કરતા હોય છે.

ભરૂચ શહેરમાં મહંમદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યુ છે જ્યાં રૂપિયા 10,000 થી 1,00,000 સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે.