ગીર સોમનાથ: મિનિ ઓઇલમિલની બોલબાલા,સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોની નજર સામે જ નિકળે છે શુદ્ધ સિંગતેલ

ગીર એટલે મગફળીનો ગઢ મનાય છે ત્યારે 180 થી વધૂ સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોએ 1.5 લાખ ડબ્બા સીંગતેલ જાતે જ નજર સામે કઢાવ્યું હતું

New Update
ગીર સોમનાથ: મિનિ ઓઇલમિલની બોલબાલા,સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોની નજર સામે જ નિકળે છે શુદ્ધ સિંગતેલ

ગીર એટલે મગફળીનો ગઢ મનાય છે ત્યારે 180 થી વધૂ સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોએ 1.5 લાખ ડબ્બા સીંગતેલ જાતે જ નજર સામે કઢાવ્યું હતું અને સારી આવક પણ મેળવી હતી

ભૂતકાળમાં ખેડૂતો કાળી મજૂરી કરી મગફળી પકાવતા અને યાર્ડમાં વેચવા જતા પણ મનગમતા ભાવો મળતા નહીં પરંતુ આ ખેડૂતો હવે સ્વદેશી તેલઘાણા તરફ વળ્યા છે ખેડૂતો જાતે રહી મગફળી કઢાવી અને ગુણવત્તા સભર સીંગતેલ પોતાના માટે કઢાવે છે અને અન્યને વેચાણ પણ કરે છે.જેમા નફો પણ સારો મળે છે.બીજી તરફ તેલ ઘાણા વાળા કોઈપણ વ્યક્તિ ગ્રાહક કે ખેડૂત પોતાની મગફળી લઈ અને ઘાણા પર આવે એટલે તેની નજર સામે જ દેશી પદ્ધતિથી તેલ કાઢી આપે છે અને એક ડબાએ રૂપિયા 300 વળતર પણ આપે છે જે મગફળીમાંથી નીકળતો ખોળ ઉંચા ભાવે વેચી અને બિસ્કીટની ફેક્ટરી ઓને વેચાણ કરે છે આમ તેલઘાણાના ફાયદા ગ્રાહક અને સંચાલક બંનેને છે

તેલઘાણામા સૌપ્રથમ મગફળી સાફ કરે છે ત્યારબાદ તેને ઘાણામા નખાય છે અને ત્યારબાદ દેશી જાડા કપડાથી ડબલ ફિલ્ટર કરાઈ છે તેમાં કોઈપણ વસ્તુ મિક્સ કરતા નથી અને ગ્રાહક પોતાની નજર સામે જ પોતાની મગફળીમાંથી તૈયાર ભરેલો તેલનો ડબ્બો નજર સમક્ષ મેળવી શકે છે સાથે સંતોષ પણ મેળવે છે ત્યારે હાલ ગ્રાહકો બ્રાન્ડેડ તેલ કંપનીઓના તેલ ખરીદવા રાજી નથી પણ નજર સામે શૂધ્ધ સિંગતેલ ખરીદી રહ્યા છે. આમ ગ્રાહક પણ અહીં સંતોષ મેળવે છે

Read the Next Article

ચૈતર વસાવાના કેસમાં પોલીસ એફિડેવિટ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા જામીનની સુનાવણી ટળી

'લાફા કાંડ' સંબંધિત કેસમાં રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી

New Update
Chaitar Vasava Bail Hearing

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને'લાફા કાંડસંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી હતી. 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે રાજપીપળાની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતીપરંતુ દેડિયાપાડા પોલીસ એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી તારીખ 11 જુલાઈ 2025 પર મુલતવી રાખવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસારજ્યાં સુધી પોલીસ તેમની એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે. પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા બાદ જ કોર્ટ દ્વારા જામીન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Latest Stories