ગીર સોમનાથ: તલાલા પંથકમાં વીજકંપનીની બેદરકારીના કારણે ખેડૂતોને મુશ્કેલી !
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ખેડૂતો વીજ તંત્રના વાકે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ખેડૂતો વીજ તંત્રના વાકે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગ, ડાયાલિસિસ વિભાગ, એક્સ-રે વિભાગ, લેબોરેટરી વિભાગ, લેબર વિભાગ, ઓપરેશન થિયેટર વિભાગ, એમ્બ્યુલન્સ વિભાગ, આઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે, અને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયા, ધારાસભ્ય જનક તળાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.