ગીર સોમનાથ: તલાલા પંથકમાં વીજકંપનીની બેદરકારીના કારણે ખેડૂતોને મુશ્કેલી !

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ખેડૂતો વીજ તંત્રના વાકે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે

New Update

ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને મુશ્કેલી 

તલાલા પંથકમાં ખેડૂતો મુશ્કેલીમાં

વીજ કંપનીની બેદરકારી સામે આવી

વીજ પોલ પર વેલા ચઢી ગયા

નિયમિત વીજળી ન મળતી હોવાના આક્ષેપ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ખેડૂતો વીજ તંત્રના વાકે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ ખેડૂતોએ આ દાવા પોકળ હોવાના આક્ષેપ કર્યા છે
આ દ્રશ્યો છે તાલાલાના ગ્રામ્ય પંથકના.....જ્યાં ઠેર ઠેર પીજીવીસીએલ તંત્રની ગંભીર બેદરકારી ઉજાગર કરતા આ વીજ થાંભલાઓ કે જેના પર વેલાઓ ચડી ગયા છે પરંતુ પીજીવીસીએલ તંત્ર માત્ર કાગળ પર જ મેઇન્ટેનન્સ કરતું હોય તેમ વીજ થાંભલાઓ પરના આ વેલાઓ દૂર કરતું નથી અને જેના પાપે ગીર પંથકના 22થી વધુ ગામમાં વારંવાર ખેતીવાડીમાં વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાનો આક્રોશ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.ખેડૂત અગ્રણી વિજય હિરપરાએ આ સમસ્યા મામલે સરકારને લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે, ચોમાસુ પૂરું થતા ઉભા પાકમાં પિયતની તાતી જરૂરિયાત વચ્ચે પીજીવીસીએલના પાપે વીજ પુરવઠો પૂરતા પ્રમાણમા મળતો ના હોવાથી પિયતના અભાવે પાકને નુકસાનની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે.ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકાર આઠ કલાક વીજળીની વાતો કરે છે પરંતુ ગીર પંથકના ગામડાઓમાં વીજળી વારંવાર ગુલ થઈ જવી અને અપૂરતો વીજ પુરવઠો મળે છે જેના કારણે ખેડૂતોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.