New Update
ગીર સોમનાથ જિલ્લામાં 70% થી વધુ ખેડૂતો હોવાથી 10 કલાક વીજળી આપવા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા માંગ કરવામાં આવી છે
રાજ્ય સરકારે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરત કરી છે જેમાં ગીર સોમનાથ જિલ્લાની બાદબાકી કરવામાં આવી હોવા અંગે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરેલ રજૂઆતમાં જણાવેલ કે,ગીર સોમનાથ જિલ્લામાં કુદરતી આફતો સામે ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી લડી રહ્યા છે.થોડા સમય પહેલા જ બિપોરજોય વાવાઝોડા દરમિયાન આ વિસ્તારના ખેડૂતોના ઉભા પાકોને ખુબજ બહોળા પ્રમાણમાં નુકશાન થયેલ હતું ત્યારબાદ ચોમાસાની સિઝન દરમિયાન પણ લીલા દુષ્કાર જેવી પરિસ્થિતિમાં સંપૂર્ણ પાકો સહિત જમીનોના ધોવાણ થયેલ હતુ જેથી 10 કલાક વીજળી આપવી જરૂરી છે.
Latest Stories