ગીરસોમનાથ: વરસાદના વિરામ બાદ પણ ખેતરો બેટમાં ફેરવાયા,ઊભા પાકને વ્યાપક નુકશાન

ખેડૂતો ના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળે છે જેના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે

New Update
ગીરસોમનાથ: વરસાદના વિરામ બાદ પણ ખેતરો બેટમાં ફેરવાયા,ઊભા પાકને વ્યાપક નુકશાન

ગીર સોમનાથમાં વરસાદના વિરામના આઠ દિવસ થવા છતાં ખેતરો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે ત્યારે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે આ દ્ર્શ્યો છે ગીર સોમનાથના સુત્રાપાડા પંથકના, જ્યાં સુત્રાપાડા શહેરથી ઝાલા, વાવટી, લોઢવા, સિંગસર,ધામળેજ અને પાધરૂકા ગામ સુધી ખેતરો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે અને પાક પાણીમાં જોવા મળી રહ્યો છે. જોકે એવું નથી હાલ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ છે. વરસાદે તો આઠ દિવસ પહેલા જ ગીર સોમનાથ જિલ્લામાં વિરામ લીધો છે પરંતુ ખેડૂતોના ખેતરોમાં પાણી હજુ ઓસર્યા નથી અને ખેડૂતોનો સંપૂર્ણ પાક પાણીમાં તરબોળ જોવા મળી રહ્યો છે.સતત એક મહિનો ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ અને છેલ્લા દોઢ મહિનાથી સતત આ વિસ્તારના ખેડૂતો ના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળે છે જેના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.