-
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કરાઈ વ્યવસ્થા
-
ઠંડી સામે પ્રાણીઓને રક્ષણ આપવા માટે વ્યવસ્થા ઉભી કરાઈ
-
પાંજરામાં ઘાસ નેટનું રક્ષા કવચ લગાવવામાં આવ્યું
-
પ્રાણીઓના ખોરાકમાં પણ કરાયો વધારો
-
મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રાણી સંગ્રહાલયની લઇ રહ્યા છે મુલાકાત
જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં શિયાળાની ઠંડીને લઇ પ્રાણીઓ ના પાંજરામાં ઘાસ નેટ નાખવામાં આવ્યા છે,તો બીજી તરફ પશુ પંખીઓ અને પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને કડકડતી ઠંડીનો દોર શરૂ થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતાઓ છે,ત્યારે જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ પક્ષીઓને આ કાતિલ ઠંડીથી બચાવવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી હતી.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના DCF અક્ષય જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રશાસન દ્વારા વન્ય પ્રાણીઓને કાતિલ ઠંડીથી બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જેમાં સિંહ વાઘ દીપડા,વરૂ તેમજ ઝરખ માટેના નાઈટ શેલ્ટર પાંજરાઓમાં ઘાસ પાથરવામાં આવ્યું છે.આ સાથે જ ગ્રીન નેટની આડશ કરવામાં આવી છે.જ્યારે વન્ય પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે,જેથી પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે, આ ઉપરાંત વેટરનરી ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ તેમજ એનિમલ કિપર્સ દ્વારા અન્ય પ્રાણીઓના હેલ્થનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
પક્ષીઓના પાંજરામાં પણ ઠંડા પવન ન જાય તે માટે ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત જરૂર જણાય ત્યાં પાંજરામાં હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યારે પક્ષીઓ માટેની આર્ટિફિશિયલ નેટની વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ સાપ અજગર જેવા માટે લેમ્પ અને માટલા પણ ગોઠવવામાં આવ્યા છે.આ ઉપરાંત સૂકાઘાસના પાથરણા પણ બનાવવામાં આવ્યા છે.સાબર હરણ જેવા તૃણાહારી પ્રાણીઓ માટે લીલાઘાસ ચારામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા તમામ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓની સ્વચ્છ અને ગુણવત્તાસભર ખોરાક મળી રહે તે માટે સુવિધા કરવામાં આવી છે.આ સાથે પાણીની માત્રામાં પણ વધારો કરવામાં આવ્યો છે તેમજ વન્ય પ્રાણીઓનું સતત CCTV દ્વારા હેલ્થ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓ દ્વારા વન્ય પ્રાણીઓને નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો.