જૂનાગઢ: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીમા પ્રાણીઓને રક્ષણ આપવા પાંજરામાં ઘાસ નેટનું સુરક્ષા કવચ લગાવાયું

આગામી દિવસોમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતાઓ છે,ત્યારે જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી

New Update
  • સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કરાઈ વ્યવસ્થા

  • ઠંડી સામે પ્રાણીઓને રક્ષણ આપવા માટે વ્યવસ્થા ઉભી કરાઈ

  • પાંજરામાં ઘાસ નેટનું રક્ષા કવચ લગાવવામાં આવ્યું 

  • પ્રાણીઓના ખોરાકમાં પણ કરાયો વધારો

  • મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રાણી સંગ્રહાલયની લઇ રહ્યા છે મુલાકાત  

 

જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં શિયાળાની ઠંડીને લઇ પ્રાણીઓ ના પાંજરામાં ઘાસ નેટ નાખવામાં આવ્યા છે,તો બીજી તરફ પશુ પંખીઓ અને પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને કડકડતી ઠંડીનો દોર શરૂ થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતાઓ છે,ત્યારે જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ પક્ષીઓને આ કાતિલ ઠંડીથી બચાવવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી હતી.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના DCF અક્ષય જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રશાસન દ્વારા વન્ય પ્રાણીઓને કાતિલ ઠંડીથી બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

જેમાં સિંહ વાઘ દીપડા,વરૂ તેમજ ઝરખ માટેના નાઈટ  શેલ્ટર પાંજરાઓમાં ઘાસ પાથરવામાં આવ્યું છે.આ સાથે જ ગ્રીન નેટની આડશ કરવામાં આવી છે.જ્યારે વન્ય પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે,જેથી પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહેઆ ઉપરાંત વેટરનરી ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ તેમજ એનિમલ કિપર્સ દ્વારા અન્ય પ્રાણીઓના હેલ્થનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

પક્ષીઓના પાંજરામાં પણ ઠંડા પવન ન જાય તે માટે ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છેઆ ઉપરાંત જરૂર જણાય ત્યાં પાંજરામાં હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યારે પક્ષીઓ માટેની આર્ટિફિશિયલ નેટની વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ સાપ અજગર જેવા માટે લેમ્પ અને માટલા પણ ગોઠવવામાં આવ્યા છે.આ ઉપરાંત સૂકાઘાસના પાથરણા પણ બનાવવામાં આવ્યા છે.સાબર હરણ જેવા તૃણાહારી પ્રાણીઓ માટે લીલાઘાસ ચારામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા તમામ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓની સ્વચ્છ અને ગુણવત્તાસભર ખોરાક મળી રહે તે માટે સુવિધા કરવામાં આવી છે.આ સાથે પાણીની માત્રામાં પણ વધારો કરવામાં આવ્યો છે તેમજ વન્ય પ્રાણીઓનું સતત CCTV દ્વારા હેલ્થ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓ દ્વારા વન્ય પ્રાણીઓને નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

New Update
વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.