ગુજરાત : ભારે પવન સાથે વરસાદની આગાહી, 28મી જૂન સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગનો આદેશ

અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી

New Update
  • રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

  • દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ કરાયું જાહેર

  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

  • 28મી સુધી દરિયો ન ખેડવા અપાય આદેશ

  • 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા

ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવા માં આવી છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરતનવસારીવલસાડદમણદાદરા અને નગર હવેલીમહિસાગરવડોદરાદાહોદભરૂચનર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ખાબકી શકે છે. જેના કારણે લોકોનું જનજીવન પણ ખોરવાઈ શકે છે.

આ સાથે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠાઅમરેલીજામનગર. અરવલ્લીખેડાગાંધીનગરઆણંદપંચમહાલ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાબરકાંઠાઅરવલ્લીમહિસાગરપંચમહાલદાહોદભરૂચસુરતનવસારીવલસાડદમણદાદરા અને નગર હવેલીમાં 25 જૂને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં 26 જૂને અને સાબરકાંઠા અને અરવલ્લીમાં 27 જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આ સમયગાળા દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. ભારે પવન અને વરસાદના કારણે માછીમારોને 28 જૂન સુધી દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદ અને પવનના કારણે દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. જેથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.