ગુજરાત : ભારે પવન સાથે વરસાદની આગાહી, 28મી જૂન સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગનો આદેશ

અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી

New Update
  • રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

  • દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ કરાયું જાહેર

  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

  • 28મી સુધી દરિયો ન ખેડવા અપાય આદેશ

  • 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા

ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવા માં આવી છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરતનવસારીવલસાડદમણદાદરા અને નગર હવેલીમહિસાગરવડોદરાદાહોદભરૂચનર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ખાબકી શકે છે. જેના કારણે લોકોનું જનજીવન પણ ખોરવાઈ શકે છે.

આ સાથે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠાઅમરેલીજામનગર. અરવલ્લીખેડાગાંધીનગરઆણંદપંચમહાલ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાબરકાંઠાઅરવલ્લીમહિસાગરપંચમહાલદાહોદભરૂચસુરતનવસારીવલસાડદમણદાદરા અને નગર હવેલીમાં 25 જૂને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં 26 જૂને અને સાબરકાંઠા અને અરવલ્લીમાં 27 જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આ સમયગાળા દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. ભારે પવન અને વરસાદના કારણે માછીમારોને 28 જૂન સુધી દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદ અને પવનના કારણે દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. જેથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.