કોરોના અંગે ગુજરાત સરકાર સતર્ક, બેઠકમાં કરવામાં આવશે સમીક્ષા

કોરોનાના BF 7 વેરિયન્ટ વિશ્વ આખામાં ઉપાધિ ઉભી કરી છે. ચીનમાં કોરોના કહેર મચાવવાનું શરૂ કરતા હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાનો હાઉ ઉભો થયો છે.

New Update
કોરોના અંગે ગુજરાત સરકાર સતર્ક, બેઠકમાં કરવામાં આવશે સમીક્ષા

કોરોનાના BF 7 વેરિયન્ટ વિશ્વ આખામાં ઉપાધિ ઉભી કરી છે. ચીનમાં કોરોના કહેર મચાવવાનું શરૂ કરતા હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાનો હાઉ ઉભો થયો છે.આવી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં કામ કરી રહી છે. ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા બાદ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પ્લાન્ટ ની વ્યવસ્થા વધારે છે.

તેવામાં પાણી પહેલા પાળ બાંધવી માફક કોરોના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરશે.બીજી બાજુ કોરોના વાયરસની પરિસ્થિતિને લઈને સમીક્ષા માટે આવતીકાલે ભારતના તમામ મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈ કાલે કોવિડ-19 માટે સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રતિક્રિયાની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું કોરોનાને લઈને રાજ્યમાં કેવી સ્થિતિ છે અને કોરોનાને ભરી પીવા કેવા પ્રકારના આગોતરા આયોજન તેમજ તૈયારી છે તે મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરશે. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અને આરોગ્ય ખાતાના સિનિયર અધિકારીઓ પણ હાજરી આપશે. ચીનમાં કોરોના ની ભયાનક સ્થિતિ જોતાં ભારત પહેલાથી જ સતર્ક થઈ ગયું છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ કોરોના પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. આજની આ બેઠકમાં કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલા મુદ્દે સૂચના આપવામાં આવી હતી

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
Latest Stories