ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયુ ગુજરાત, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી

આજે ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો .

New Update
ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયુ ગુજરાત, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી

આજે ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો .ધુમ્મસના કારણે વીઝીબ્લીટી ઝીરો થતાં અનેક વાહન ચાલકોએ મુશકેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો

સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શનિવાર અને રવિવારે એ સતત બે દિવસ ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સોમવારે રાજ્યભરમાં ધુમ્મસ છવાયું છે. અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તો ઘુમ્મસને પગલે રાજ્યમાં કાશ્મીર જેવું વાતાવરણ છવાયું છે. સવારથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું હતું. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી બે દિવસ રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ વડોદરા, અમદાવાદ એક્સપ્રેસ વે પર ઝીરો વિઝિબિલિટી સર્જાઇ હતી જેના કારણે વાહન ચાલકો ભારે તકલીફમાં મુકાયા હતા.છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં આવેલા વાતાવરણમાં પલટા ને કારણે બેવડી ઋતુનું અનુભવ કરતાં નાગરિકો આજે અતિશય ધુમ્મસના કારણે પરેશાન થઈ ગયા હતા. વહેલી સવારે વાતાવરણમાં અતિશય ધુમ્મસ પ્રસરી જવાના કારણે હાઇવે પર ઝીરો વિઝિબિલિટીનું નિર્માણ થયું હતું. 8 થી 10 ફૂટ નજીકનું વાહન પણ ન દેખાય તેવી સ્થિતિ વચ્ચે એક્સપ્રેસ વે ઉપર અકસ્માત સર્જાય તેવી દહેશત ઊભી થતા વડોદરા અમદાવાદ એક્સપ્રેસવે તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાળજીપૂર્વક વાહન હંકાળવાની સૂચના જાહેર કરવામાં આવી હતી.સામાન્ય રીતે આવા ધુમ્મસને કારણે પુરપાટ ઝડપે દોડતા વાહનો અચાનક બ્રેક મારતા અકસ્માતની હારમાળા સર્જાતી હોય છે. જોકે વાહન ચાલકોને સતર્કતાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ એક્સપ્રેસ વે પર એક પણ અકસ્માત સર્જાયો ન હતો.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.
Latest Stories