ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયુ ગુજરાત, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી

આજે ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો .

New Update
ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયુ ગુજરાત, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી

આજે ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો .ધુમ્મસના કારણે વીઝીબ્લીટી ઝીરો થતાં અનેક વાહન ચાલકોએ મુશકેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો

Advertisment W3.CSS

સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શનિવાર અને રવિવારે એ સતત બે દિવસ ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સોમવારે રાજ્યભરમાં ધુમ્મસ છવાયું છે. અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તો ઘુમ્મસને પગલે રાજ્યમાં કાશ્મીર જેવું વાતાવરણ છવાયું છે. સવારથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું હતું. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી બે દિવસ રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ વડોદરા, અમદાવાદ એક્સપ્રેસ વે પર ઝીરો વિઝિબિલિટી સર્જાઇ હતી જેના કારણે વાહન ચાલકો ભારે તકલીફમાં મુકાયા હતા.છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં આવેલા વાતાવરણમાં પલટા ને કારણે બેવડી ઋતુનું અનુભવ કરતાં નાગરિકો આજે અતિશય ધુમ્મસના કારણે પરેશાન થઈ ગયા હતા. વહેલી સવારે વાતાવરણમાં અતિશય ધુમ્મસ પ્રસરી જવાના કારણે હાઇવે પર ઝીરો વિઝિબિલિટીનું નિર્માણ થયું હતું. 8 થી 10 ફૂટ નજીકનું વાહન પણ ન દેખાય તેવી સ્થિતિ વચ્ચે એક્સપ્રેસ વે ઉપર અકસ્માત સર્જાય તેવી દહેશત ઊભી થતા વડોદરા અમદાવાદ એક્સપ્રેસવે તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાળજીપૂર્વક વાહન હંકાળવાની સૂચના જાહેર કરવામાં આવી હતી.સામાન્ય રીતે આવા ધુમ્મસને કારણે પુરપાટ ઝડપે દોડતા વાહનો અચાનક બ્રેક મારતા અકસ્માતની હારમાળા સર્જાતી હોય છે. જોકે વાહન ચાલકોને સતર્કતાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ એક્સપ્રેસ વે પર એક પણ અકસ્માત સર્જાયો ન હતો.

Read the Next Article

ભરૂચ: મનસુખ વસાવાએ પોલીસને કહ્યું "હવે આદિવાસીઓને છંછેડશો નહીં", આડકતરી રીતે BJPના નેતાઓને પણ આડેહાથ લીધા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચમાં સંમેલનનું કરાયુ આયોજન

  • રાજપૂત છાત્રાલય ખાતે સંમેલન યોજાયું

  • આદિવાસી સંમેલનનું આયોજન

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • પોલીસ પર કર્યા આકરા પ્રહાર

Advertisment W3.CSS
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે
સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે, હવે આદિવાસીઓને છંછેડશો નહીં.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે ત્યારે કોઈ પણ હિન્દૂ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઇ નથી.
સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતાં જણાવ્યું કે, સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક્ક માટે કોઇ ચોક્કસ પગલાં નથી લેતાં.