ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે, તૈયારીઓને અંતિમ ઓપ...

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે કરવામાં આવનાર છે

New Update
ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે, તૈયારીઓને અંતિમ ઓપ...

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે કરવામાં આવનાર છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

તા. 1 મે ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે થશે, ત્યારે આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. સાથે જ અહીં શસ્ત્ર-પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. એટલું જ નહીં, જામનગર શહેરના ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધી પોલીસ પરેડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પરેડમાં 19 પ્લાટુનના 800 જવાનો સહભાગી થશે. પરેડમાં ચેતક કમાન્ડો, બુલેટપ્રુફ ગાડી, અશ્વદળ અને પોલીસ બેન્ડના આકર્ષણો પણ હશે. આ પરેડમાં ગુજરાતની અસ્મિતા અને હાલારની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક લોકનૃત્યો પણ રજૂ કરવામાં આવનાર છે, ત્યારે હાલ તો વહીવટી તંત્ર દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી માટે તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે.

Read the Next Article

જુનાગઢ : ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ મામલે AAPના કાર્યકર વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી..!

અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી

New Update
  • ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલનો મામલો

  • ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પોલીસ મથકે અરજી અપાય

  • AAPના કાર્યકર સામે ઓડિયો વાયરલ મામલે અરજી દાખલ

  • વેપારીઓએ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં હોબાળો મચાવ્યો

  • અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર સામે ઓડિયો વાયરલ મામલે પોલીસ મથકમાં અરજી દાખલ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ થતા ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયાના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.

જેને લઈને ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડની હરાજી 2 કલાક સુધી બંધ રાખવામાં આવી હતીઅને મોટા પ્રમાણમાં હોબાળો કરવામાં આવ્યો હતો. અંતે તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા અને આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયા દ્વારા વાયરલ ઓડિયો અને અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો હતો.