કોંગ્રેસ બાદ ભાજપમાં પણ હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાયા? વાંચો ભાજપના કયા નિર્ણયની થઈ રહી છે ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિશન 182ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જોતરાયા છે

New Update
કોંગ્રેસ બાદ ભાજપમાં પણ હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાયા? વાંચો ભાજપના કયા નિર્ણયની થઈ રહી છે ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિશન 182ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જોતરાયા છે. મતદારો સુધી પહોંચવા ભાજપ દ્વારા એકપછી એક આયોજન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો 12 ઓક્ટોબરથી એટલે કે આવતીકાલથી પ્રારંભ થશે.

ભાજપની ઉત્તર ગુજરાતની આ ગૌરવ યાત્રામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે હાર્દિક પટેલ સહિત અનેક મોટા નેતાઓ જોડાવાના હતા. જોકે, આ ગૌરવ યાત્રા એક દિવસ પહેલા મોટા બદલાવ કરવામાં આવ્યો છે. ભાજપની ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે નવા ફેરફારમાં ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની આ ગૌરવ યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી યોજાશે. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.આ ગૌરવ યાત્રા વિશે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભાજપ યાત્રા સ્વરૂપે લોકોના આશીર્વાદ મેળવવા જાય છે ત્યારે વિધાનસભા દીઠ જનતાના આશીર્વાદ માટે ભાજપ યાત્રા થકી ગુજરાત ખુંદશે.21 વર્ષ થી ગુજરાતમાં નવા આયામો સિદ્ધ થતા આવ્યા છે અને સરકારે અવનવા પ્રોજેક્ટની રાજ્ય ની જનતાને ભેટ આપી હોવાનું પણ ઉમેર્યું હતું.

Read the Next Article

સુરત : એરપોર્ટને નડતરરૂપ બહુમાળી ઈમારતનો મુદ્દો ગરમાયો,ક્રેડાઈ દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

New Update
  • એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના સર્વેનો મામલો

  • ક્રેડાઈ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજૂઆત

  • એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવશે માહિતી

  • નડતરરૂપ બિલ્ડિંગ અંગે આપવામાં આવશે માહિતી

  • બિલ્ડિંગ ઓનર દ્વારા ન્યાયાલય સમક્ષ ન્યાયની માંગ  

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઝડપથી આ દિશામાં કોઈ નિર્ણય લેશે તેવી આશા બંધાઈ છે. તો બીજી તરફ ક્રેડાઈ દ્વારા આ મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદમાં થયેલી ઘટના બાદ હવે સુરતના લોકોના પણ જીવ તાળવે ચોંટી ગયા છે. માત્ર ઈમારતમાં રહેતા લોકો જ નહીં પરંતુ જે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે તેમના માટે પણ આ એક મોટો ચિંતાનો વિષય છે. નડતરરૂપ બિલ્ડિંગોને દૂર કરવામાં આવે તો સુરતમાં આવતી ફ્લાઇટ કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી લેન્ડિંગ થઈ શકશે. આ બાબતને લઈને કલેક્ટરે પણ પોતાની ગંભીરતા હાલ દાખવી છે. નડતરરૂપ બિલ્ડિંગો કઈ કઈ છે તે અંગે માહિતી એરપોર્ટ ઓથોરિટી આપી શકે છે. તેમની સૂચના બાદ જ જે બિલ્ડિંગો નડતરરૂપ જણાશે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને જાણ કરશે કઈ કઈ બિલ્ડિંગોનો કેટલો ભાગ ઉતારી લેવા જેવો છે અને ત્યાર બાદ કલેક્ટર કોર્પોરેશન પાસે મેનપાવર અને મશીનરી પાવર માંગી નડતર દૂર કરવાની કાર્યવાહી કરશે.જોકે આ બધી કાર્યવાહીને પગલે બિલ્ડીંગ ઓનરોમાં ફફડાટ વ્યાપી ગયો છે,અને તેઓએ આ મુદ્દે કોર્ટ સમક્ષ ન્યાયની માંગ કરી છે.

Latest Stories