Connect Gujarat
ગુજરાત

“નવસારીની હૈયું હચમચાવી દેતી ઘટના” પતિ પત્નીએ બે બાળકોને મોતને ઘાટ ઉતારી, દંપતીએ ફાંસો ફાંસો ખાઈ લીધો, કારણ જાણી ચોંકી જશો

હત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. આ સાથેજ એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામમાં સન્નાટો છવાઇ ગયો છે.

“નવસારીની હૈયું હચમચાવી દેતી ઘટના” પતિ પત્નીએ બે બાળકોને મોતને ઘાટ ઉતારી, દંપતીએ ફાંસો ફાંસો ખાઈ લીધો, કારણ જાણી ચોંકી જશો
X

નવસારી જિલ્લાના વાંસદાના રવાણીયા ગામે એક હૈયુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. રવાણિયા ગામે દંપતીએ બે બાળકોની હત્યા કરીને આત્મહત્યા કરી લીધી છે. આ હત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. આ સાથેજ એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામમાં સન્નાટો છવાઇ ગયો છે.

વાંસદા તાલુકાના રવાણીયા ગામના બોરી ફળિયામાં રહેતો 39 વર્ષીય ચુંનીલાલ જત્તર ગાવિતના લગ્ન નવ વર્ષ અગાઉ તનુજાબેન સાથે થયા હતા. નવ વર્ષના લગ્ન જીવનમાં દંપતીને બે બાળકો હતા. ચુનીલાલ યુનિબેઝ કંપની દમણ ખાતે નોકરી કરતો હતો. તેની સાથે કામ કરતી આહવા ડાંગની યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ બંધાયો હતો. તેની સાથે ઘર સંસાર માંડવાનો હોવાની ચુનીલાલે ઘરે વાત કરી હતી. ત્યારબાદ તારીખ 10 માર્ચ 2023ના રોજ ચુનિલાલ યુવતીને ઘરે લઈ આવ્યો હતો અને કહ્યું કે આ યુવતીને બીજી પત્ની તરીકે રાખવાનો છુ. તેવી વાત કરતા ચુનીલાલના પિતાએ તેને બે દિવસ પછી વાતચીત કરી નક્કી કરીશું તેમ કહ્યું હતું.

ત્યારબાદ કાજલના બાપુજી સાથે આ બાબતની વાતચીત કરી હતી પરંતુ તેઓ ઘરે નહોતા આવ્યા. જેથી ચુનીલાલ બેન અને બનેવીને કાજલના ઘરે જવા વાંસદા ખાતે મુકી આવ્યો હતો. ચુનીલાલને કાજલ સાથે પ્રેમસંબંધ હોય અને તે બીજી પત્ની તરીકે લાવવાનો હોય જેના કારણે પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ચાલતું હતું. થોડા સમય અગાઉ દંપતી સાપુતારા ફરવા ગયું હતું. જ્યાંથી પરત આવી ગઇકાલે તેઓ સાંજે વાંસદા ગયા હતા. જ્યાં તેઓએ બાળકોને મારીને આત્મહત્યા કરવાનો પ્લાન કર્યો હતો

Next Story