/connect-gujarat/media/post_banners/9205d5b2824d3793c088c2128839289d028dfc11933568646c72f8cb873c6cd8.webp)
7 મે ના રોજ ભારતે પાકિસ્તાન પર કરેલ હુમલા પછી સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને ગઇકાલે ગુજરાતનાં કચ્છ વિસ્તારમાં ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે હુમલાને ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
ગઇકાલે ગુજરાતનાં કચ્છ ખાતે પાકિસ્તાન દ્વારા થયેલા હુમલા બાદ ગુજરાત હાઇ એલર્ટ મોડ પર છે. ભુજ એરપોર્ટને બંધ કરી દેવાયું છે. તો ગઇકાલે કચ્છમાં પણ બ્લેકઆઉટની સ્થિતિ હતી. આ વચ્ચે ગુજરાતનાં સરહદ પરના ગામોની ખાસ સુરક્ષા વધારાઈ છે.
આ બધાની વચ્ચે ગુજરાત રાજ્ય સરકારની આજે સવારથી જ એક અગત્યની બેઠક શરૂ થઈ છે. અને આ સમીક્ષા બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાશે. આ વચ્ચે ઓપરેશન સિંદૂરને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલની પરિસ્થિને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરી છે.
ગુજરાત સરકારે આરોગ્ય વિભાગ, મહેસૂલ વિભાગ ના તમામ કર્મચારીઓની રાજ્ય અનિશ્ચિત મુદત માટે રદ કરી છે. હાલ તણાવની સ્થતિમાં ગુજરાત સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે. આ વિભાગોના કર્મચારીઓને જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ ના થાય ત્યાં સુધી રજાઓ રદ કરાઇ છે.