ગીર સોમનાથ : લાટી ગામના દરિયા કિનારે રહસ્યમય કન્ટેનર તણાઈ આવતા કુતુહલ,એજન્સીઓ દ્વારા તપાસ શરૂ

ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.

New Update
  • લાટી દરિયા કિનારે તણાઈ આવ્યું રહસ્યમય કન્ટેનર 

  • રહસ્યમય કન્ટેનરથી ગ્રામજનોમાં કુતુહલ

  • તપાસમાં તાઇવાનના એક્વા પ્રેશર ટેન્ક મળી આવ્યા

  • શિપમાંથી કન્ટેનર પડી ગયા બાદ તણાઈ આવ્યાનું અનુમાન

  • કસ્ટમ અને પોલીસ વિભાગે શરૂ કરી કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવતા ભારે કુતૂહલ સર્જાયું હતું.ઘટનાની માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. ગીર સોમનાથ એસઓજી,એલસીબી,મામલતદાર અને કસ્ટમ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા કન્ટેનરને દરિયા કિનારે લાવવામાં આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ કન્ટેનર કોઈ કાર્ગો શિપમાંથી દરિયામાં પડી ગયું હોઈ શકે છે.કસ્ટમ સહિતની એજન્સીઓ દ્વારા કન્ટેનર ખોલતા તાઇવાન બનાવટના એકવા પ્રેશર ટેન્ક હોવાનું સામે આવ્યું હતું.કસ્ટમ વિભાગ દ્વારા આ કન્ટેનર ક્યાંથી અપલોડ કરાયું અને ક્યાં જઈ રહ્યું હતું તે અંગે શિપિંગ એજન્સીઓ પાસેથી માહિતી એકત્ર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.