અરવલ્લી : સજ્જનપુરા-કંપા ગામે પપૈયાના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને લાખોનું નુકશાન..!

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજ્જનપુરા-કંપા ખાતે વધુ પડતા વરસાદથી પપૈયાના પાકમાં સુકારો આવતા ખેડૂતોએ પાક નિષ્ફળતા અંગે સરકાર પાસે સહાયની માંગ કરી છે.

New Update

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજ્જનપુરા-કંપા ખાતે વધુ પડતા વરસાદથી પપૈયાના પાકમાં સુકારો આવતા ખેડૂતોએ પાક નિષ્ફળતા અંગે સરકાર પાસે સહાયની માંગ કરી છે.

Advertisment

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજ્જનપુરા-કંપા ગામમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં વાવેતર લાયક વરસાદ થતાં ખેડૂતોએ 120 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું હતું. પાક પણ સારો હતોઅને ખેડૂતોએ ખૂબ મહેનત કરીને પાકની સારી માવજત પણ કરી હતી. પરંતુ ગત સપ્તાહે પુષ્કળ વરસાદ વરસ્યો હતો. જેના કારણે પપૈયાના પાકમાં સુકારાનો રોગ આવ્યો છે.

હાલ પપૈયા પર નાના નાના પપૈયા પણ લાગ્યા છેઅને વધુ પડતા વરસાદથી પાકમાં સુકારો લાગ્યો. જેમાં પપૈયાના પાન પીળા પડીને સંપૂર્ણ સુકાઈ ગયા છે. હવે આ છોડ પર પપૈયા નહીં થાય અને પાક નિષ્ફળતાના આરે આવ્યો છે. ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે. પણ હવે પપૈયામાં સુકારો આવી જતાં બિલકુલ ઉપજ મળે તેમ નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છેત્યારે હવે ખેતીવાડી વિભાગ દ્વારા પપૈયાના પાકની નિષ્ફળતાનું સર્વે કરાવી અને પાક નુક્શાની અંગે સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

Advertisment

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.

Advertisment