અરવલ્લી : સજ્જનપુરા-કંપા ગામે પપૈયાના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને લાખોનું નુકશાન..!

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજ્જનપુરા-કંપા ખાતે વધુ પડતા વરસાદથી પપૈયાના પાકમાં સુકારો આવતા ખેડૂતોએ પાક નિષ્ફળતા અંગે સરકાર પાસે સહાયની માંગ કરી છે.

New Update

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજ્જનપુરા-કંપા ખાતે વધુ પડતા વરસાદથી પપૈયાના પાકમાં સુકારો આવતા ખેડૂતોએ પાક નિષ્ફળતા અંગે સરકાર પાસે સહાયની માંગ કરી છે.

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજ્જનપુરા-કંપા ગામમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં વાવેતર લાયક વરસાદ થતાં ખેડૂતોએ 120 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું હતું. પાક પણ સારો હતોઅને ખેડૂતોએ ખૂબ મહેનત કરીને પાકની સારી માવજત પણ કરી હતી. પરંતુ ગત સપ્તાહે પુષ્કળ વરસાદ વરસ્યો હતો. જેના કારણે પપૈયાના પાકમાં સુકારાનો રોગ આવ્યો છે.

હાલ પપૈયા પર નાના નાના પપૈયા પણ લાગ્યા છેઅને વધુ પડતા વરસાદથી પાકમાં સુકારો લાગ્યો. જેમાં પપૈયાના પાન પીળા પડીને સંપૂર્ણ સુકાઈ ગયા છે. હવે આ છોડ પર પપૈયા નહીં થાય અને પાક નિષ્ફળતાના આરે આવ્યો છે. ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે. પણ હવે પપૈયામાં સુકારો આવી જતાં બિલકુલ ઉપજ મળે તેમ નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છેત્યારે હવે ખેતીવાડી વિભાગ દ્વારા પપૈયાના પાકની નિષ્ફળતાનું સર્વે કરાવી અને પાક નુક્શાની અંગે સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના પ્રયાસરૂપે “હેરિટેજ વોક” યોજાય...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે “હેરિટેજ વોક”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા આયોજન

  • ઐતિહાસિક વારસો ધરાવતા વઢવાણ શહેરમાં આયોજન થયું

  • શહેરમાં પ્રથમ વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું

  • વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાનો પ્રયાસ

  • હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા ઐતિહાસિક વારસો ધરાવતા વઢવાણ શહેરમાં પ્રથમ વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે હેરિટેજ વોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વોક વઢવાણના ઐતિહાસિક હવામહેલથી શરૂ થઈ માધાવાવ સુધી પહોંચી હતીજેમાં હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. આ માર્ગમાં રાણી કુંવરબાનું રાણકદેવી મંદિરકોટ વિસ્તારખાંડીપોળ જેવા ઐતિહાસિક સ્થળોએ થઈ માધાવાવ ખાતે સમાપન કરવામાં આવ્યું હતુંજ્યાં દિવડા પ્રગટાવીને વાવને જીવંત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતોજેણે શ્રદ્ધા અને સંસ્કૃતિના મોજાં ઉભા કર્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.