જુનાગઢ : છેલ્લા 5 વર્ષમાં મનપાએ સરકારી નાણાંનો ક્યાં-કેટલો ખર્ચ કર્યો, તે અંગે કોંગ્રેસે કહ્યું : “હિસાબ દો, જવાબ દો”

જુનાગઢમાં ભાજપના સાશનમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે

New Update

જુનાગઢમાં ભાજપના સાશનમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છેતે અંગે કોંગ્રેસ દ્વારાહિસાબ દોજવાબ દોના કાર્યક્રમ હેઠળ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

જુનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરા જોટવાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મનપા કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. હીરા જોટવાએ જણાવ્યુ હતું કેમનપાની ચૂંટણી ભાજપ દ્વારા જાણી જોઈને પાછી ઠેલવાઈ છે. ભાજપના સાશનમાં થયેલ ગેરરીતિ લોકો ભૂલી જાય તે માટે જાણી જોઈને ચૂંટણી પાછી ઠેલવવામાં આવી રહી છે. આવેદન પત્ર આપ્યા અગાઉ કોંગ્રેસ દ્વારા મનપાના પટાંગણમાં ભાજપ વિરુદ્ધ સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત મનપા કમિશ્નર દ્વારા હજુ સુધી સરકારમાંથી વહીવટદારના નામની જાહેરાત ન કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું.

તો બીજી તરફજુનાગઢમાં ભાજપના સાશનમાં મનપા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છેતે અંગે કોંગ્રેસ દ્વારાહિસાબ દોજવાબ દો” કાર્યક્રમ હેઠળ વિરોધ દર્શાવવામાં આવ્યો હતોત્યારે આ મામલે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યુ હતું કેઅમે પ્રજાના અનેક કામ પાછલા 5 વર્ષમાં કર્યા છે. નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે. ભૂગર્ભ ગટરનું ફેસ-2 અંતર્ગત કામ ચાલી રહ્યું છે. ઉપરકોટનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે. જોપ્રજા અમારી પાસે કામનો હિસાબ માંગશે તો આપી દઇશુંપણ કોંગ્રેસને હિસાબ માંગવાનો કોઈ અધિકાર નથી.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.