જુનાગઢ : છેલ્લા 5 વર્ષમાં મનપાએ સરકારી નાણાંનો ક્યાં-કેટલો ખર્ચ કર્યો, તે અંગે કોંગ્રેસે કહ્યું : “હિસાબ દો, જવાબ દો”

જુનાગઢમાં ભાજપના સાશનમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે

New Update

જુનાગઢમાં ભાજપના સાશનમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છેતે અંગે કોંગ્રેસ દ્વારાહિસાબ દોજવાબ દોના કાર્યક્રમ હેઠળ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

જુનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરા જોટવાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મનપા કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. હીરા જોટવાએ જણાવ્યુ હતું કેમનપાની ચૂંટણી ભાજપ દ્વારા જાણી જોઈને પાછી ઠેલવાઈ છે. ભાજપના સાશનમાં થયેલ ગેરરીતિ લોકો ભૂલી જાય તે માટે જાણી જોઈને ચૂંટણી પાછી ઠેલવવામાં આવી રહી છે. આવેદન પત્ર આપ્યા અગાઉ કોંગ્રેસ દ્વારા મનપાના પટાંગણમાં ભાજપ વિરુદ્ધ સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત મનપા કમિશ્નર દ્વારા હજુ સુધી સરકારમાંથી વહીવટદારના નામની જાહેરાત ન કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું.

તો બીજી તરફજુનાગઢમાં ભાજપના સાશનમાં મનપા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છેતે અંગે કોંગ્રેસ દ્વારાહિસાબ દોજવાબ દો” કાર્યક્રમ હેઠળ વિરોધ દર્શાવવામાં આવ્યો હતોત્યારે આ મામલે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યુ હતું કેઅમે પ્રજાના અનેક કામ પાછલા 5 વર્ષમાં કર્યા છે. નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે. ભૂગર્ભ ગટરનું ફેસ-2 અંતર્ગત કામ ચાલી રહ્યું છે. ઉપરકોટનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે. જોપ્રજા અમારી પાસે કામનો હિસાબ માંગશે તો આપી દઇશુંપણ કોંગ્રેસને હિસાબ માંગવાનો કોઈ અધિકાર નથી.

Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે