ગુજરાત ATS દ્વારા સઘન તપાસ : મણિપુર-નાગાલેન્ડના બોગસ લાઇસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચા..!

રાજ્યભરમાં હાલ મણિપુર અને નાગાલેન્ડના બોગસ લાઇસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે.

New Update
  • ગુજરાત ATSએ કર્યો બોગસ લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ

  • મણિપુર-નાગાલેન્ડના બોગસ લાઇસન્સના આધારે ખેલ કર્યો

  • ગુજરાત ATS હથિયાર ખરીદવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું

  • 2016 પહેલાંના UIN વિનાના લાઇસન્સથી હથિયાર ખરીદ્યા

  • આરોપીઓની મોડસ ઓપરેન્ડીનો ATSએ કર્યો છે પર્દાફાશ

રાજ્યભરમાં હાલ મણિપુર અને નાગાલેન્ડના બોગસ લાઇસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે. આરોપીઓએ વર્ષ 2016 પહેલાં ઇસ્યુ થયેલા UIN નંબર વિનાના લાઇસન્સમાં ખેલ પાડી ગુજરાતમાં હથિયારોના બોગસ લાઇસન્સનું રેકેટ શરૂ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

રાજ્યભરમાં હાલ મણિપુર અને નાગાલેન્ડનાં બોગસ લાઇસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે. આ કેસમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાંથી કેવી રીતે બોગસ લાઈસન્સ લેનારા શખસોએ હથિયારનું લાઇસન્સ લેવા માટે UIN (યુનિક આઇડેન્ટિફિકેશન નંબર) ફરજિયાત થયા પહેલાં રિન્યૂ નહીં થયેલા લાઇસન્સમાં ખેલ કર્યો હતો. આ લાઇસન્સમાં ચેડાં કરીને લોકોનાં નામ ઘુસાડ્યાં હતાં તેમજ ગમે તેમ કરીને ડોક્યુમેન્ટ દ્વારા અન્ય રાજ્યમાંથી ભાડા કરાર મેળવવા સુધીના આખા રેકેટની કડી ગુજરાત ATSએ શોધી કાઢી છે.

ગેરકાયદે હથિયારનું સમગ્ર રેકેટ ચલાવનારા ભેજાબાજોએ અન્ય રાજ્યના લાઇસન્સના આધારે હથિયાર ખરીદ્યાત્યારે આ ટોળકીએ છટકબારી શોધીને 2016 પહેલાં UIN નંબર ફરજિયાત થયો તે પહેલાના લાઇસન્સનો ડેટા ભેગો કર્યો હતો. ખાસ કરી હાથથી લખેલા લાઇસન્સમાં એજન્ટ અને ગુજરાતના ખેલાડીઓએ રીતસર આખી સિસ્ટમ ગોઠવી હતી. એમાં UIN નંબર વગર હથિયાર મળી શકે એવી છટકબારી રાખવામાં આવી હતી. UIN નંબર ફરજિયાત થયા બાદ જૂના હાથેથી લખેલા અને રિન્યૂ નહીં થયેલા લાઇસન્સમાં ગુજરાતીમાં નામ અને ફોટો લગાવી બોગસ લાઇસન્સ તૈયાર કર્યાં હતા.

ગુજરાત ATSએ જણાવ્યું હતું કે2016થી હથિયાર માટે UIN નંબર ફરજિયાત થતાં જૂનાં લાઇસન્સમાં ગોટાળો કરવાનું શરૂ થયું હતું. મોટા ભાગના લાઇસન્સ બોગસ છે. જેની તપાસ ચાલુ છે. અલગ અલગ રાજ્ય દ્વારા આ અંગે જાણ થતાં લાઇસન્સ રદ કરવાની અને કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં આવેલા મોટા ભાગના લાઇસન્સ હાથથી લખેલાં હોવાનું સામે આવ્યું છે. મણિપુર ઓથોરિટીએ હથિયાર લાઇસન્સ રદ્દ કરવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ રેકેટ સાથે તપાસમાં હજી મહત્વની કડી સામે આવી શકે છે. હાલ અલગ અલગ રાજ્ય દ્વારા આ સંદર્ભે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.