/connect-gujarat/media/post_banners/dcd84da444cc9eeeace499bce1a142d2ad8469a0ea38e8a75a99ca623536f7c9.jpg)
રઘુવંશી લોહાણા મહાજન અને અંકલેશ્વર-ભરૂચ લોહાણા મહાજન દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમમાં ભાગ લેવા લોહાણા સમાજના સભ્યોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગાંધીનગર હેલિપેડ ખાતે તા. 18મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી સુધી લોહાણા મહા પરિષદના નેજા હેઠળ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભરૂચ-નર્મદા જિલ્લાના લોહાણા સમાજના સભ્યોને રધુવંશી લોહાણા મહાજન-અંકલેશ્વરના પ્રમુખ નરેશ પૂજારા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.