અમરેલી : જાફરાબાદ નગરપાલિકાએ અપનાવી સોલાર સંચાલિત સિસ્ટમ,મોટા વીજ બીલના ભારણમાંથી મળી રાહત

જાફરાબાદની આખી નગરપાલિકા સોલાર સંચાલિત સિસ્ટમથી ચાલે છે,જેના કારણે લાખોના બીલમાંથી છૂટકારો મળ્યો છે.સોલાર ઉર્જા સંચાલિત પાલિકા ઝીરો વીજબીલ સંચાલિત પાલિકા બની ગઈ

New Update
  • નગરપાલિકા બની સોલાર સંચાલિત

  • વીજબીલમાં પાલિકાને મળી રાહત

  • અંદાજીત 15 લાખનું આવતું હતું વીજબીલ

  • સોલાર સિસ્ટમથી વીજબીલનું ભારણ ઘટ્યું

  • પાલિકનું લાખોનું વીજબીલ થયું શૂન્ય 

અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારની જાફરાબાદની આખી નગરપાલિકા સોલાર સંચાલિત સિસ્ટમથી ચાલે છે,જેના કારણે લાખોના બીલમાંથી છૂટકારો મળ્યો છે.સોલાર ઉર્જા સંચાલિત પાલિકા ઝીરો વીજબીલ સંચાલિત પાલિકા બની ગઈ છે.

અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાએ લાઈટ બીલ ઘટાડવાની પહેલ કરી છે અને તેમાં સફળતા મળી છે,એક સમયે માસિક 15 લાખ જેવી રકમનું વીજબીલનું ભારણ સહન કરતી પાલિકામાં હાલ ઝીરો રૂપિયા બીલ થઈ ગયું છે.

તેનું મુખ્ય કારણ જાફરાબાદ પાલિકામાં 2019 થી 2020 માં પાલિકાના સાશનમાં પાલિકા પ્રમુખ સરમણ બારૈયા આવ્યા અને પાલિકાનું આર્થિક ભંડોળ સાથે પાલિકામાં સૌથી વધુ ખર્ચ સ્ટ્રીટલાઈટવોટર વર્કસ અને કચેરીઓમાં લાઇટને કારણે લાખોના બીલ આવતા હતા,અને પી.જી.વી.સી.એલ.નું દેણું વધવાથી વિકાસના કામો સાથે પાલિકાના કર્મચારીઓના પગાર ચૂકવવામાં ફાંફા પડતા હતા,આથી લાઈટ બીલ ઓછું આવે તેના માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા.

જાફરાબાદ નગરપાલિકામાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી અને કચેરીની લાઈટપાલિકા સંચાલિત સંપસ્ટ્રીટ લાઈટ વગેરે સોલારથી ચાલે છે. જેના કારણે લાઈટ બીલ શૂન્ય થઈ ગયું છે.જ્યારે પાલિકામાં રૂપિયા 48 લાખ 50 હજારના ખર્ચે સોલાર સિસ્ટમ લગાવવામાં આવી હતી.જેના ફળસ્વરૂપે માસિક લાખોના વીજબીલ માંથી જાફરાબાદ પાલિકાનું વીજબીલ શૂન્ય થઈ ગયું હોવાનો પાલિકા પ્રમુખ સરમણ બારૈયાએ જણાવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.