Connect Gujarat
ગુજરાત

જામનગર : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં 28મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત...

જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો.

X

જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રિય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેરના ધન્વંતરિ મંદિર ઓડિટરિયમ ખાતે આયોજિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ૨૮મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કેન્દ્રિય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીના કોઠારી, સાંસદ ભારતીબેન સહિતના મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં કુલ ૭૩૭ વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર ૪ મહાનુભાવોને ડી. લિટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહમાં વિદ્યાર્થીઓને ઇનામો અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુટ્યુબ ચેનલનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

Next Story