Connect Gujarat
ગુજરાત

જામનગર : સૌપ્રથમ વખત મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજાશે...

મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતી નિમિત્તે જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ દ્વારા સૌપ્રથમ વખત રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજવામાં આવ્યું છે.

X

જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સેવા સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં રક્તદાન કેમ્પ, શોભાયાત્રા અને લોકડાયરા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં શ્રી મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતી નિમિત્તે જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ દ્વારા સૌપ્રથમ વખત રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજવામાં આવ્યું છે.

આ સાથે જ રક્તદાન કેમ્પ પૂર્વે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું રક્તતુલા સહિત સન્માન કાર્યક્રમ પણ યોજાશે. ગાંધીનગરથી જિલ્લા પંચાયત સુધી વિશાળ શોભાયાત્રા ઉપરાંત મહારાણા પ્રતાપણા સ્ટેચ્યુને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. ઉપરાંત પદમ બેંકવેટ હોલ, એરપોર્ટ રોડ ખાતે કીર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર અને કિંજલ દવેના લોકડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Next Story