જામનગર : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરાયો...
જામનગરની મુલાકાતે આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk12 March 2023 11:28 AM GMT
X
Connect Gujarat Desk12 March 2023 11:28 AM GMT
જામનગરની મુલાકાતે આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે આવી પહોચ્યા હતા, ત્યારે જામનગરના મિગ કોલોની ખાતે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના અનેક પ્રશ્નોને વાચા આપવા તેમજ શહેરીજનો સહેલાઈથી ધારાસભ્યનો સંપર્ક કરી શકે તેવા હેતુથી દિવ્યેશ અકબરી દ્વારા જનસંપર્ક કાર્યાલયનું નિર્માણ કરાવ્યુ છે. આ તકે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, જિલ્લા પ્રમુખ રમેશ મુંગરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેઘજી ચાવડા, મેયર બિના કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા સહિતના મહાનુભાવો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story