-
મનપાની મેગા ડિમોલેશનની કાર્યવાહી
-
બચુ નગરમાં શરૂ કરવામાં આવી કાર્યવાહી
-
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા
-
294 મકાનોના દબાણો પર ચાલ્યું બુલડોઝર
-
તંત્રની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ
જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુ નગર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.294 જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરીને અંદાજે 200 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહીને પગલે દબાણ કરતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ કામગીરીમાં મનપાના 100થી વધુ કર્મચારીઓ જોડાયા છે, અને 100થી વધુ પોલીસકર્મીઓ ના કાફલા સાથે 12 જેસીબી,3 હિટાચી અને 12 ટ્રેક્ટર સહિતની મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી, અને ગત એપ્રિલ માસથી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ તબક્કામાં છે.ખાસ કરીને બચુ નગર વિસ્તારમાં અંદાજે 294 જેટલા મકાનો ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા હોવાથી તે તમામ દબાણો ખાલી કરી દેવા માટેની તમામ પ્રકારની અંતિમ નોટિશો આપી દેવામાં આવી હતી, અને માલ સામાન કાઢવા માટેની પણ મહેતલ અપાઈ હતી, જે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગયા બાદ આજે સવારથી મેગા ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.