જામનગર : એક તરફ CMની બેઠક, તો બીજી તરફ કોંગી આગેવાનોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ પછી શું થયું..!

રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા લમ્પી વાઇરસના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

New Update
જામનગર : એક તરફ CMની બેઠક, તો બીજી તરફ કોંગી આગેવાનોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ પછી શું થયું..!

રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા લમ્પી વાઇરસના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ પોતાના શરીર પર કેરોસિન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

હાલ લમ્પી વાઇરસના કારણે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગર પ્રવાસે આવ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ ગૌશાળાની મુલાકાત લઈ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક ચાલી જ રહી હતી, તે દરમ્યાન જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા કોંગી કાર્યકરો સહિત કલેક્ટર કચેરી ધસી આવ્યા હતા, જ્યાં દિગુભા જાડેજા દ્વારા પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીઓ તેમજ કર્મીઓએ તાત્કાલિક દોડી આવી દિગુભા જાડેજાને પકડી આત્મવિલોપનના પ્રયાસ નાકામ બનાવ્યો હતો. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતા. ઘટનાની જાણ થતાં એસપી પ્રેમસુખ ડેલું અને નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. દિગુભા જાડેજાની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા, ત્યારે ભારે હોબાળો મચતા પોલીસે બન્ને કોંગી આગેવાનોની ટિંગાટોળી સાથે અટકાયત કરી હતી.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.