જામનગર : જરૂરિયાતમંદો વ્હારે આવ્યો સતવારા સમાજ, સમૂહ લગ્નોત્સવમાં 22 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા

જામનગરમાં વસંત પંચમી નિમિતે સતવારા સમાજ ગુલાબનગર દ્વારા છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
જામનગર : જરૂરિયાતમંદો વ્હારે આવ્યો સતવારા સમાજ, સમૂહ લગ્નોત્સવમાં 22 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા

જામનગરમાં વસંત પંચમી નિમિતે સતવારા સમાજ ગુલાબનગર દ્વારા છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનની નવી શરૂઆત કરી હતી.

જામનગરના ગુલાબનગર સતવારા સમાજની વાડી ખાતે આજે વસંત પંચમી નિમિતે 24મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સતવારા સમાજ ગુલાબનગર દ્વારા છેલ્લા 24 વર્ષથી સમાજની જરૂરિયાતમંદ દીકરીઓના માતા-પિતા ઓછા ખર્ચે અને તમામ સુવિધા સાથે લગ્નોત્સવ ઉજવી શકે તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે સતવારા સમાજના પ્રમુખ અને સમૂહ લગ્ન સમિતિના પ્રમુખના અધ્યક્ષ સ્થાને 22 નવયુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવયુગલોએ આજે પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રિવાબા જાડેજા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય જગદીશ મકવાણા, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, મેયર બિના કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર સહિત સતવારા સમાજના આગેવાનો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.