જૂનાગઢ: BJPના નેતાઓના વાણી વિલાસથી ક્ષત્રિય સમાજના 100 લોકો કોંગ્રેસમાં જોડાયા

માળીયા હાટીના ભાજપમાં મોટુ ગાબડુ પડ્યું છે. ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકોએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે...

New Update
જૂનાગઢ: BJPના નેતાઓના વાણી વિલાસથી ક્ષત્રિય સમાજના 100 લોકો કોંગ્રેસમાં જોડાયા

જૂનાગઢના માળીયા હાટીના ભાજપમાં મોટુ ગાબડુ પડ્યું છે. ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકોએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

પરસોત્તમ રૂપાલના નિવેદનના મામલે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં ભાજપમાં મોટુ ગાબડુ પડ્યુ છે.પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ જિલ્લા ભાજપ પ્રમુખે કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જુનાગઢના માળીયા હાટીનામાં ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને ભાજપના નેતાઓ નિવેદનની આકરી ટીકા કરી હતી

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories