જૂનાગઢ: BJPના નેતાઓના વાણી વિલાસથી ક્ષત્રિય સમાજના 100 લોકો કોંગ્રેસમાં જોડાયા
માળીયા હાટીના ભાજપમાં મોટુ ગાબડુ પડ્યું છે. ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકોએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે...
BY Connect Gujarat Desk24 April 2024 6:07 AM GMT
X
Connect Gujarat Desk24 April 2024 6:07 AM GMT
જૂનાગઢના માળીયા હાટીના ભાજપમાં મોટુ ગાબડુ પડ્યું છે. ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકોએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
પરસોત્તમ રૂપાલના નિવેદનના મામલે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં ભાજપમાં મોટુ ગાબડુ પડ્યુ છે.પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ જિલ્લા ભાજપ પ્રમુખે કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જુનાગઢના માળીયા હાટીનામાં ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને ભાજપના નેતાઓ નિવેદનની આકરી ટીકા કરી હતી
Next Story