જુનાગઢ : 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ,570 સ્પર્ધકોએ લીધો ભાગ

જૂનાગઢના ગિરનાર ખાતે 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં 570 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

New Update
  • અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ

  • ભારતભરનાં 570 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ

  • બોયઝ માટે 5000 અને ગર્લ્સ માટે 2200 પગથિયાની સ્પર્ધા

  • જિલ્લા કલેકટરે લીલી ઝંડી બતાવી સ્પર્ધાનો કરાવ્યો પ્રારંભ

  • વિજેતા સ્પર્ધકોને ઈનામ આપીને કરાયા પ્રોત્સાહિત

જૂનાગઢના ગિરનાર ખાતે 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં 570 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જૂનાગઢના ગિરનાર ખાતે 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં 570 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો,ચાર કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં બોયઝ માટે 5000 પગથિયા અને ગર્લ્સ માટે 2200 પગથિયા સર કરવા માટેની સ્પર્ધા યોજાઈ હતી. જૂનાગઢના જિલ્લા કલેકટર દ્વારા સ્પર્ધાને લીલી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો.આ સ્પર્ધામાં ગુજરાતહરિયાણામહારાષ્ટ્ર,રાજસ્થાન,ઉત્તરપ્રદે,માધ્ય પ્રદેશ,હિમાચલ,બિહાર સહિતના રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સ્પર્ધાના અંતમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Read the Next Article

નવસારી : નારિયેળી પૂનમ પર્વ નિમિત્તે સાગરખેડૂઓ દરિયાદેવની પૂજા કરી દરિયો ખેડવાની કરી શરૂઆત

નવસારીના ધોળાઈ બંદર દરિયા કિનારે નારિયેળી પૂનમ પ્રસંગે સાગર ખેડુઓએ દરિયાદેવની પૂજા અર્ચના કરી દરિયો ખેડવાની વિધિવત શરૂઆત કરી હતી.

New Update
  • ધોળાઈ બંદર ઉપર નારિયેળી પૂનમની ઉજવણી

  • સાગરખેડુઓ માટે નારીયેળી પૂનમ પવિત્ર દિવસ     

  • ખલાસીઓએ કર્યું વહાણનું પૂજન

  • દરિયાદેવની પૂજા કરી માછીમારીની કરી શરૂઆત

  • સાગર ખેડુઓએ કળશ યાત્રા યોજી કર્યું પૂજન

નવસારીના ધોળાઈ બંદર દરિયા કિનારે નારિયેળી પૂનમ પ્રસંગે સાગર ખેડુઓએ દરિયાદેવની પૂજા અર્ચના કરી દરિયો ખેડવાની વિધિવત શરૂઆત કરી હતી.

નવસારી જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વહાણવટના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોનો મોટો વર્ગ રહે છે. જેઓ અવારનવાર માછીમારી કરવા માટે દરિયો ખેડતા હોય છે. જેમાં નવસારીના ધોળાઈ બંદરથી માછીમાર દરિયામાં રોજગારી માટે જાય છે.દરિયાઈ પટ્ટી પર વસતા સાગરખેડુઓ નારીયેળી પૂનમના પવિત્ર દિવસે પોતાની વર્ષો જૂની પરંપરા અનુસાર સાગરદેવનું પૂજન કરી રોજગારી માટે દરિયો ખેડવાની શરૂઆત કરે છે.

માછીમાર સમાજ દ્વારા તેઓની વર્ષો જૂની પરંપરા અનુસાર આજના દિવસે એટલે કે નારિયેળી પૂનમના દિવસે નવસારીના ધોળાઈ બંદર ખાતે માછીમાર સમુદાયના મહિલા પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાઅને પોતાની પરંપરા અનુસાર ઢોલ શરણાઈના તાલે કળશ યાત્રા કાઢી દરિયાદેવની અને પોતાના વહાણની ખાસ પૂજા અર્ચના કરી હતી.

દરિયાદેવને નારિયેળ પધરાવી માછીમાર સમાજ પોતાની રોજગારીમાં સમૃદ્ધિ અને રક્ષણ આપવાની પ્રાર્થના દરિયાદેવને કરે છે. આજના દિવસથી જ માછીમાર સમાજ દરિયો ખેડવાની શરૂઆત કરે છે. આજના દિવસથી દરિયો પોતાનું બળ ઓછું કરે છે. જેથી આજના તહેવારને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. માછીમારો માટે આજનો દિવસ એટલે ઉત્સાહ અને ઉમંગનો દિવસ બને છે.