જૂનાગઢ : રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા ધો.12ના વિદ્યાર્થીને સહપાઠીઓએ ઢોર માર મારતા સારવાર હેઠળ

રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા ધોરણ 12ના વિદ્યાર્થીને તેનાજ સહપાઠીઓ દ્વારા ઢોર માર મારવામાં આવતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

New Update
  • રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સનો બનાવ

  • વિદ્યાર્થીને તેના સહપાઠીઓએ માર્યો માર

  • પટ્ટા તેમજ ઢીકાપાટુના મારથી વિદ્યાર્થી ઘાયલ

  • ઈજાગ્રસ્ત વિદ્યાર્થી સારવાર હેઠળ

  • ઘટનામાં પોલીસ ફરિયાદની તજવીજ 

રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા ધોરણ 12ના વિદ્યાર્થીને તેનાજ સહપાઠીઓ દ્વારા ઢોર માર મારવામાં આવતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટના ખાંભલા વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 12માં અભ્યાસ કરતા જૈમીન વાળાને તેની સાથે જ અભ્યાસ કરતા 8 થી 10 વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં બોલાવીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

અગાઉના મન દુઃખમાં વિદ્યાર્થીઓએ સમાધાન કરી લીધા બાદ પણ તેને હોસ્ટેલના રૂમમાં બોલાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો.શરીર ઉપર પટ્ટા અને ઢીકા પાટુના મારના નિશાન જોવા મળી રહ્યા છે.અને ભોગ બનનાર જૈમીન વાળાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

ગત તારીખ 8 માર્ચના રોજ તેની સાથે અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ એ જૈમીનને પોતાના રૂમમાં બોલાવ્યો હતો અને અમારી કેમ મજાક કરી હતી,તેમ કહીને પટ્ટા લાત અને હાથ વડે તેને ઢોર માર માર્યો હતો.ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા ચાલુ હતી,તેથી તેની રિસીપ્ટ લઈ લેવા ઉપરાંત કોઈને કહીશ કે ફરિયાદ કરીશ તો રિસીપ્ટ ફાડી નાખવામાં આવશે તેવી ધમકી આપી હતી.

ડરી ગયેલો જૈમીન વાળા કોઈને પણ જાણ કર્યા વગર સહન કરતો રહેતો હતો,અને ધોરણ 12નું અંતિમ પેપર આપીને તેમના પિતાને ફોન કર્યો હતો અને તેને પરત ઘરે લઇ જવા માટે કહ્યું હતુ.સમગ્ર ઘટના અંગેની જાણ થતા જ માતા પિતા સ્તબ્ધ થઇ ગયા હતા,અને પ્રથમ જૈમીનને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો.અને આ અંગે તેને પોલીસ ફરિયાદ પણ કરવાની તજવીજ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી પરિવાર સાથે કરાવ્યું મિલન

રાયગઢ જિલ્લાના વતની ભિક્ષુક સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો

New Update
  • ભરૂચની સેવાયજ્ઞ સમિતિનું સેવાકાર્ય

  • ભિક્ષુક વ્યક્તિને આપ્યું નવજીવન

  • સિવિલ હોસ્પિટલમાં કરાવી સારવાર

  • પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

  • કાર્યની સૌ કોઈએ કરી પ્રસંશા

ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી એમના પરિવાર સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી 45 વર્ષીય રાજેશ ક્રિષ્ના ચૌધરી થોડા મહિના પહેલાં અજાણી સેવાભાવી વ્યક્તિએ ફોન દ્વારા ભિક્ષુક હાલતમાં રેલવે સ્ટેશન પાસે પડેલા પગ કપાઇ ગયેલ વ્યક્તિ વિશે માહિતી આપતાં ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઇ આવી અનાથ ઘરડા ઘરમાં રાખ્યાં હતાં.
સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા. રાજેશભાઈ ના કહેવા મુજબ તે મહાડ, રાયગઢ જિલ્લાના વતની છે.તેમના પત્ની અને બે સંતાનો સાથે ત્યાં રહેતાં હતા. સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો. પોતે પથારીવસ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યાં હતાં ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતાં ભટકતાં ભરૂચ આવી ગયા હતા.
સંસ્થાના સ્વયંસેવક  પૂનમચંદ કાપડિયાએ એમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને સર્જરી કરાવી કુત્રિમ પગ લગાવી આપ્યો હતો ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઇઝ અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે. સાથે સાથે સેવાયજ્ઞ સમિતિએ એમના પરિવારજનો સાથે સંપર્ક કરી એમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.