Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ભૂતપ્રેત હોવાનું કહી કેશોદના એક ગામની દીકરી પર સગા પિતા સહિત પરિવારના 7 લોકોનો અત્યાચાર

મળતી માહિતી અનુસાર, જુનાગઢના કેશોદ તાલુકાના એક ગામની પુત્રવધૂ પોતાની 3 દીકરી સાથે પતિથી છેલ્લાં 7 વર્ષથી અલગ રહે છે.

X

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામની દીકરીમાં ભૂતપ્રેત હોવાનું કહી ફૂલ જેવી માસૂમ દીકરી પર સગા પિતા અને ફોઈ સહિત પરિવારના 7 લોકોએ અત્યાચાર ગુજાર્યો અને બીજી દીકરીને ઢોરમાર માર્યો હોવાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી છે.

મળતી માહિતી અનુસાર, જુનાગઢના કેશોદ તાલુકાના એક ગામની પુત્રવધૂ પોતાની 3 દીકરી સાથે પતિથી છેલ્લાં 7 વર્ષથી અલગ રહે છે. જોકે, ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કર્યું હતું, જેમાં સમાધાન કરવાનું કહીને માતાને આમંત્રણ આપ્યું હતું, જેથી માતાએ પહેલા દિવસે 2 દીકરીને મોકલી હતી, અને સવારે તે અન્ય 1 દીકરીને લઇને હવનમાં ગઇ હતી. હવનમાં ગયા બાદ પતિ સહિત પરિવારજનોનું વર્તન બદલાઈ ગયું હતું, જ્યાં દીકરીઓની માતાએ ઘટના વર્ણવતાં જણાવ્યું હતું કે, હું 7 વર્ષથી મારા પતિથી અલગ રહું છું, પણ હવનનું આયોજન હતું, અને સમાધાનની વાત હતી, તો મેં પહેલા દિવસે 2 દીકરીને મોકલી હતી, અને હું બીજા દિવસે ગઇ તો મને જાણવા મળ્યું કે, પહેલી રાત્રે ભૂવાઓએ અને મારા પતિ સહિત સાસરિયાએ ડાલકામાં મારી એક દીકરીને ધુણાવી હતી. મને એમ કહેવામાં આવ્યું કે, તારી દીકરીને માતાજી આવે છે, એ પ્રમાણ આપશે. મને પણ એમ થયું કે, કંઈ હોય તો સારું થઇ જાય, પણ આ લોકોનો અત્યાચાર વધતો ગયો. મારી દીકરીને આગ પર ચલાવી, હવનમાં હાથ નખાવ્યા, બે-બે દિવસ અન્નનો દાણો ન આપ્યો, અને બેહદ હેરાન કરવામાં આવી, ત્યારે આનો વિરોધ કરતાં દીકરીની બલિ ચડાવવાનું કહી દીકરીઓને ઢોર માર માર્યો, જ્યાંથી માંડ માંડ બચી જતાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Next Story