/connect-gujarat/media/post_banners/f4cee3f5b08a9c0c80965bf8d42beecfa65ee4d234084ef8c6be6833dcca340c.jpg)
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો. ઠંડીના આહલાદક વાતાવરણ સાથે ગિરનાર પર્વત પાછળ સૂર્યોદય સમયે મનોહર દ્રશ્ય જોવા મળ્યું હતું.
જુનાગઢના ગિરનાર પર્વત પર હૃદય અને મનને અપ્રિતમ ટાઢક આપતા સુંદર નજારાથી પ્રવાસીઓ રોમાંચિત બન્યા હતા. હાલ ઠંડીના દિવસોમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ જોવા મળે છે, ત્યારે ગિરનાર પર્વત પર સૂર્યોદય સમયે વાદળો પસાર થતાં એક સુંદર દ્રશ્ય સર્જાયું હતું. ગિરનાર પર્વત પર રોપ-વે શરૂ થયાં બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાર પર્વતનો આવો જ સુંદર નજારો માણવા માટે આવી રહ્યા છે, ત્યારે આજે ગિરનાર પર્વત પર વહેલી સવારે સર્જાયેલા અદભૂત નજારાથી પ્રવાસીઓ દંગ રહી પોતાના મોબાઈલ કેમેરામાં દ્રશ્યો કેદ કરવા લાગ્યા હતા.