જુનાગઢ : વરસાદ ત્રાટકે તે પહેલા ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા ખેડૂતોને કૃષિ વિભાગનું સૂચન...

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે જુનાગઢમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકે તે પહેલા વાવેતર કરેલ ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા ખેડૂતોને સૂચન કરાયું

New Update
  • તા. 24 મે-2025 બાદ અરબી સમુદ્ર થશે સિસ્ટમ સક્રિય

  • હવામાન વિભાગ દ્વારા કરાય છે વરસાદની આગાહી

  • ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાય

  • વરસાદ ત્રાટકતા પહેલા ખેડૂતોને કરવામાં આવ્યું સૂચન

  • વાવેતર કરેલ ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા અનુરોધ

Advertisment

આગામી તા. 24 મે-2025 બાદ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેત્યારે જુનાગઢમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકે તે પહેલા વાવેતર કરેલ ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા ખેડૂતોને સૂચન કરાયું છે.

તાજેતરમાં જુનાગઢ જિલ્લા સહિત રાજ્યભરના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતોત્યારે હાલ વાતાવરણ સ્વચ્છ રહેવા સાથે ગરમીનો પારો પણ ઉચકાયો છે. જેના કારણે ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનું પ્રમાણ પણ વધુ રહ્યું છે. જોકેહાલ એક અઠવાડિયું વહેલા નેઋત્યના ચોમાસાનો પ્રારંભ અંદમાન નિકોબારથી થયો છેત્યારે આગામી તા. 24 મે-2025 બાદ બાદ અરબી સમુદ્રમાં ચોમાસાની ગતિવિધિ વધુ જોવા મળશે.

આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળશે. તેવામાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકે તે પહેલા વાવેતર કરેલ ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા ખેડૂતોને સૂચન કરાયું છે.

Read the Next Article

સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

New Update
Saputara Police

ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.