જુનાગઢ : કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો શુભારંભ,25 કરોડના ખર્ચે કરાયું નવીનીકરણ

New Update
જુનાગઢ : કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો શુભારંભ,25 કરોડના ખર્ચે કરાયું નવીનીકરણ

નવાબી કાળથી બનેલ કેશોદના એરપોર્ટમાં છેલ્લાં બે દશકાથી વિમાની સેવા બંધ હતી જે બાબતે અસંખ્ય રજુઆતો બાદ કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો શુભારંભ થયો..

નવાબી કાળથી બનેલ કેશોદના એરપોર્ટમાં છેલ્લાં બે દશકાથી વિમાની સેવા બંધ હતી. જે બાબતે અસંખ્ય રજુઆતો બાદ કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો શુભારંભ થયો છે.ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગો જનરલ નિવૃત વી. કે. સિંહ સંસદ રમેશભાઈ ધડુક, સંસદ રાજેશ ચુડાસમા રાજ્ય પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ સહીતમાં નેતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદના એરપોર્ટ ઉદઘાટન અને મુંબઈ કેશોદ મુબઈ નવી ફ્લાઇટ શુભારંભ પ્રારંભે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે કેશોદ એરપોર્ટ જુનાગઢ નવાબે ૧૯૩૦માં સ્થાપીત કર્યુ હતું. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પચ્ચીસ કરોડના ખર્ચે નવીનીકરણ કરી આધુનિક બનાવી નવી ફ્લાઇટ શુભારંભ કર્યો છે. આગામી સમયમાં કેશોદ અમદાવાદ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તેમજ ૨૭ એપ્રીલથી પોરબંદર દિલ્હી ફલાઈનો શુભારંભ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી.કેશોદ એરપોર્ટનું શુભારંભ થતાં હવે જૂનાગઢ જિલ્લાના પ્રવાસન તેમજ આજુબાજુના જિલ્લાઓના પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ મોટો ફાયદો થશે..

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories