જુનાગઢ : પીજીવીસીએલની ગંભીર બેદરકારીનો આક્ષેપ,વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી આગમાં ઘઉંનો પાક ખાખ,ખેડૂત પણ દાઝ્યા

માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે શોર્ટ સર્કિટને કારણે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી.જેમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો

New Update
  • પીજીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતને નુકસાન

  • શોર્ટ સર્કિટથી ઘઉંના પાકમાં  લાગી આગ

  • આઠ વીઘાનો પાક સળગીને ભસ્મીભૂત થઈ ગયો

  • ખેડૂત પણ દાઝી જતાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ

  • પીજીવીસીએલે આરોપોને નકારી કાઢ્યા 

Advertisment

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે.પીજીવીસીએલની ગંભીર બેદરકારીને પરિણામે ખેડૂત ગટુર ડોડીયાના ખેતરમાં આગ લગતા તૈયાર થયેલો ઘઉંનો પાક અચાનક સળગી ઉઠ્યો હતો. આ ઘટનામાં ખેડૂત પોતે પણ દાઝી ગયા હતા.

 જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે.પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે શોર્ટ સર્કિટને કારણે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી.જેમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો હતો.અને ખુદ ખેડૂત પણ દાઝી ગયા હતા.

ખેડૂતના જણાવ્યા મુજબબાજુના ખેતરમાં આવેલી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ ઘટનામાં તેમના લગભગ 7થી 8 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. ગટુરભાઈએ આરોપ મૂક્યો છે કે તેમણે આ સમસ્યા અંગે પીજીવીસીએલના અધિકારીઓને અગાઉથી જાણ કરી હતીપરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

દાઝી જવાને કારણે ગટુરભાઈને માળીયા હાટીનાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે નસીબજોગે તેઓ અને તેમનું ટ્રેક્ટર બચી ગયા છે.

બીજી તરફકેશોદ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ગરચરે ખેડૂતના આરોપોને નકારી કાઢ્યા છે. તેમના મતેબાજુના ખેતરમાં હાર્વેસ્ટર ચાલુ હતું અને ત્યાં કચરો સળગાવવામાં આવતા આગ લાગી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં