જુનાગઢ : પીજીવીસીએલની ગંભીર બેદરકારીનો આક્ષેપ,વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી આગમાં ઘઉંનો પાક ખાખ,ખેડૂત પણ દાઝ્યા

માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે શોર્ટ સર્કિટને કારણે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી.જેમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો

New Update
  • પીજીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતને નુકસાન

  • શોર્ટ સર્કિટથી ઘઉંના પાકમાં  લાગી આગ

  • આઠ વીઘાનો પાક સળગીને ભસ્મીભૂત થઈ ગયો

  • ખેડૂત પણ દાઝી જતાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ

  • પીજીવીસીએલે આરોપોને નકારી કાઢ્યા

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે.પીજીવીસીએલની ગંભીર બેદરકારીને પરિણામે ખેડૂત ગટુર ડોડીયાના ખેતરમાં આગ લગતા તૈયાર થયેલો ઘઉંનો પાક અચાનક સળગી ઉઠ્યો હતો. આ ઘટનામાં ખેડૂત પોતે પણ દાઝી ગયા હતા.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે.પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે શોર્ટ સર્કિટનેકારણે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી.જેમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો હતો.અને ખુદ ખેડૂત પણ દાઝી ગયા હતા.

ખેડૂતના જણાવ્યા મુજબબાજુના ખેતરમાં આવેલી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ ઘટનામાં તેમના લગભગ 7થી 8 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. ગટુરભાઈએ આરોપ મૂક્યો છે કે તેમણે આ સમસ્યા અંગે પીજીવીસીએલના અધિકારીઓને અગાઉથી જાણ કરી હતીપરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

દાઝી જવાને કારણે ગટુરભાઈને માળીયા હાટીનાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે નસીબજોગે તેઓ અને તેમનું ટ્રેક્ટર બચી ગયા છે.

બીજી તરફકેશોદ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ગરચરે ખેડૂતના આરોપોને નકારી કાઢ્યા છે. તેમના મતેબાજુના ખેતરમાં હાર્વેસ્ટર ચાલુ હતું અને ત્યાં કચરો સળગાવવામાં આવતા આગ લાગી હતી.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.