જુનાગઢ : પીજીવીસીએલની ગંભીર બેદરકારીનો આક્ષેપ,વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી આગમાં ઘઉંનો પાક ખાખ,ખેડૂત પણ દાઝ્યા

માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે શોર્ટ સર્કિટને કારણે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી.જેમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો

New Update
  • પીજીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતને નુકસાન

  • શોર્ટ સર્કિટથી ઘઉંના પાકમાં  લાગી આગ

  • આઠ વીઘાનો પાક સળગીને ભસ્મીભૂત થઈ ગયો

  • ખેડૂત પણ દાઝી જતાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ

  • પીજીવીસીએલે આરોપોને નકારી કાઢ્યા

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે.પીજીવીસીએલની ગંભીર બેદરકારીને પરિણામે ખેડૂત ગટુર ડોડીયાના ખેતરમાં આગ લગતા તૈયાર થયેલો ઘઉંનો પાક અચાનક સળગી ઉઠ્યો હતો. આ ઘટનામાં ખેડૂત પોતે પણ દાઝી ગયા હતા.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે.પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે શોર્ટ સર્કિટનેકારણે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી.જેમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો હતો.અને ખુદ ખેડૂત પણ દાઝી ગયા હતા.

ખેડૂતના જણાવ્યા મુજબબાજુના ખેતરમાં આવેલી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ ઘટનામાં તેમના લગભગ 7થી 8 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. ગટુરભાઈએ આરોપ મૂક્યો છે કે તેમણે આ સમસ્યા અંગે પીજીવીસીએલના અધિકારીઓને અગાઉથી જાણ કરી હતીપરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

દાઝી જવાને કારણે ગટુરભાઈને માળીયા હાટીનાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે નસીબજોગે તેઓ અને તેમનું ટ્રેક્ટર બચી ગયા છે.

બીજી તરફકેશોદ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ગરચરે ખેડૂતના આરોપોને નકારી કાઢ્યા છે. તેમના મતેબાજુના ખેતરમાં હાર્વેસ્ટર ચાલુ હતું અને ત્યાં કચરો સળગાવવામાં આવતા આગ લાગી હતી.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.