જૂનાગઢ પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની દુભાઈ ધાર્મિક લાગણી

ગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે..

New Update
  • પવિત્ર દામોદર કુંડની ખદબદતી હાલત

  • કુંડમાં ભળી રહ્યા છે ગટરના ગંદા પાણી

  • પિતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓમાં રોષ

  • મનપાનું તંત્ર કુંડની પવિત્રતા જાળવી ન શક્યું

  • શ્રદ્ધાળુઓની કુંડની દુર્દશાથી ધાર્મિક લાગણી દુભાઈ

જુનાગઢનું પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે,અને તંત્ર દ્વારા કરોડો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કુંડની પવિત્રતા જાળવી શક્યા ન હોવાનું શ્રદ્ધાળુઓ રોષપૂર્વક જણાવી રહ્યા છે.

ઐતિહાસિક અને ધાર્મિક નગરી ગણાતા જૂનાગઢમાં ભવનાથ તળેટી રસ્તે પવિત્ર અને અતિ પ્રાચીન દામોદર કુંડ છે,જ્યાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં ભાવિકો પિતૃ તર્પણ કરવા આવે  છેપરંતુ હાલ દામોદર કુંડની દુર્દશા થઈ છેગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથીઅને ભાવિકોએ સરકારને વિનંતી સાથે જણાવ્યું કે કુંડની પવિત્રતા જળવાય તેવી કામગીરી કરવા માટે માંગ કરવામાં આવી છે.

આ પવિત્ર દામોદર કુંડની સફાઈ કરવા અગાઉ તંત્ર દ્વારા 8 કરોડ જેવી માતબર રકમ ફાળવી હતી,પણ તંત્રના પાપે પવિત્ર કુંડ દૂષિત બન્યો છેઆજરોજ કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને જિલ્લા કલેકટરને આમંત્રણ આપી આ પવિત્ર કુંડના પાણીનું ચરણામૃત લેવા પધારવા જણાવ્યું હતું પણ એક પણ પદાધિકારી કે અધિકારી ફરકયા જ નહોતા8 કરોડ જેટલી રકમ કુંડના શુદ્ધિકરણ માટે ફાળવી છતાં પણ પવિત્ર દામોદર કુંડ ગંદકીથી ખદબદી રહ્યો હોવાનું રોષપૂર્વક તેઓએ જણાવ્યું હતું.

Read the Next Article

ભાવનગર :  અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે કરાયો પ્રારંભ

ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો

New Update
  • સૌરાષ્ટ્રવાસીઓને નવી એક ટ્રેનની સુવિધા મળી 

  • અયોધ્યા જવા માટે ટ્રેન સુવિધાનો પ્રારંભ

  • રેલવે મંત્રીના હસ્તે કરાયો ટ્રેન સુવિધાનો પ્રારંભ

  • રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત

  • વ્યાપાર,વાણીજય,પ્રવાસનને વેગ મળવાની આશા

ભાવનગરથી અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે પ્રારંભ કરાયો હતો.11 ઓગસ્ટથી આ ટ્રેન ભાવનગર અયોધ્યા વચ્ચે નિયમિત દોડશે.

સૌરાષ્ટ્રવાસીઓને અયોધ્યા જવા માટે નવી એક ટ્રેનની સુવિધા મળી છે.ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાવનગરમાં બે નવા રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર-રાજકોટ વાયા વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પૈકી એક ટ્રેન દરરોજ અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. આ ટ્રેન શરૂ થતા રાજકોટજૂનાગઢ અને પોરબંદર જિલ્લાના લોકોને લાભ થશે. ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અન્ય રેલવેના વિકાસ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે.

ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ થયો હતો. ભાવનગરથી અયોધ્યા કેન્ટ વચ્ચેની સાપ્તાહિક ટ્રેનને આજે રવિવારના રોજ ભાવનગર ટર્મિનસ ખાતેથી સવારે 11 કલાકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 11 ઓગસ્ટથી આ ટ્રેન નિયમિત ભાવનગર-અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક દોડશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ મંડાવીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકસીત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની 3જી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.આર્થિક ગતિવિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટપોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપારવાણીજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતી મળશે.લોકો  માટે આગમન સુગમ અને સુવિધાયુક્ત બનશે તથા વિકસીત ભારતની સાથે જ વિકસીત રાજકોટવિકસીત પોરબંદર અને વિકસીત જુનાગઢનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે.

સૌરાષ્ટ્રવાસીઓને નવી ટ્રેન અને વિકાસલક્ષી આયામોની ભેટ મળતા આંદોલનકારી રાકેશ લાધલાનીએ ખુશી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.અને વિદ્યાર્થી આગેવાન તરીકે ટ્રેન સુવિધા માટે કરેલા આંદોલન અને સંઘર્ષનું વર્ષો લોકોની સુખાકારી માટે સુખદ સફળતા પૂર્વકનું પરિણામ મળ્યું છે.