જુનાગઢ : ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ મામલે AAPના કાર્યકર વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી..!

અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી

New Update
  • ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલનો મામલો

  • ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પોલીસ મથકે અરજી અપાય

  • AAPના કાર્યકર સામે ઓડિયો વાયરલ મામલે અરજી દાખલ

  • વેપારીઓએ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં હોબાળો મચાવ્યો

  • અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર સામે ઓડિયો વાયરલ મામલે પોલીસ મથકમાં અરજી દાખલ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ થતા ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયાના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.

જેને લઈને ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડની હરાજી 2 કલાક સુધી બંધ રાખવામાં આવી હતીઅને મોટા પ્રમાણમાં હોબાળો કરવામાં આવ્યો હતો. અંતે તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા અને આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયા દ્વારા વાયરલ ઓડિયો અને અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો હતો.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.