જુનાગઢ : કેશોદમાં બિલ્ડરને થયો કડવો અનુભવ,ભેજાબાજે પોલીસ ઇન્સ્પેક્ટર મિત્ર હોવાની ઓળખ આપીને કરી ઠગાઈ

કેશોદમાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂપિયા 1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર દ્વારા આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી

New Update
  • કેશોદના બિલ્ડરને થયો કડવો અનુભવ

  • વ્યાજખોરો સામે નોંધાવી હતી પોલીસ ફરિયાદ

  • પોલીસ કાર્યવાહી ન કરતા બિલ્ડર હતા પરેશાન

  • ભેજાબાજ શખ્સે PI મિત્ર હોવાની ઓળખ આપી કરી છેતરપિંડી

  • પોલીસ ફરિયાદ માટે રૂ.1 લાખ પડાવી લઈને કર્યો વિશ્વાસઘાત 

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂપિયા 1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર દ્વારા આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદના બિલ્ડર હેતલકુમાર ઠુંબરને વ્યાજખોરોનો કડવો અનુભવ થયો હતો,વ્યાજ અને મુદ્દલ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોએ તેમને લખાવી લીધેલા ફ્લેટ પરત આપતા નહોતા.તેથી બિલ્ડર હેતલકુમાર ઠૂંબરે દ્વારા પોલીસ મથકમાં અરજીરૂપે ફરિયાદ આપી હતી,પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા તેઓનો  ફેબ્રુઆરી 2024ના અંતમાં વડોદરાના હિતેશ ગોહેલે સંપર્ક કર્યો હતો.

પોતાને સોશિયલ વર્કર ગણાવી કેશોદના પોલીસ ઇન્સ્પેકટર એ.બી. ગોહિલનો મિત્ર હોવાનો દાવો કર્યો હતો.FIR નોંધવામાં મદદ કરવાની લાલચ આપી તેણે રૂપિયા 1 લાખની માંગણી કરી હતીજે રકમ ફરિયાદીએ બે હપ્તામાં આંગડિયા મારફતે ચૂકવી હતી.

આરોપીએ ફરિયાદીને અમદાવાદના એડવોકેટ કેવલસિંહ રાઠોડ પાસે નવી અરજી લખાવવાનું કહ્યુંજે કેશોદ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી.પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતાજેમાં આરોપીએ આનાકાની કરતા આખરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.