જુનાગઢ : કેશોદમાં બિલ્ડરને થયો કડવો અનુભવ,ભેજાબાજે પોલીસ ઇન્સ્પેક્ટર મિત્ર હોવાની ઓળખ આપીને કરી ઠગાઈ

કેશોદમાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂપિયા 1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર દ્વારા આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી

New Update
  • કેશોદના બિલ્ડરને થયો કડવો અનુભવ

  • વ્યાજખોરો સામે નોંધાવી હતી પોલીસ ફરિયાદ

  • પોલીસ કાર્યવાહી ન કરતા બિલ્ડર હતા પરેશાન

  • ભેજાબાજ શખ્સેPI મિત્ર હોવાની ઓળખ આપી કરી છેતરપિંડી

  • પોલીસ ફરિયાદ માટે રૂ.1 લાખ પડાવી લઈને કર્યો વિશ્વાસઘાત 

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂપિયા 1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર દ્વારા આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદના બિલ્ડર હેતલકુમાર ઠુંબરને વ્યાજખોરોનો કડવો અનુભવ થયો હતો,વ્યાજ અને મુદ્દલ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોએ તેમને લખાવી લીધેલા ફ્લેટ પરત આપતા નહોતા.તેથી બિલ્ડર હેતલકુમાર ઠૂંબરે દ્વારા પોલીસ મથકમાં અરજીરૂપે ફરિયાદ આપી હતી,પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા તેઓનો  ફેબ્રુઆરી 2024ના અંતમાં વડોદરાના હિતેશ ગોહેલે સંપર્ક કર્યો હતો.

પોતાને સોશિયલ વર્કર ગણાવી કેશોદના પોલીસ ઇન્સ્પેકટર એ.બી. ગોહિલનો મિત્ર હોવાનો દાવો કર્યો હતો.FIR નોંધવામાં મદદ કરવાની લાલચ આપી તેણે રૂપિયા 1 લાખની માંગણી કરી હતીજે રકમ ફરિયાદીએ બે હપ્તામાં આંગડિયા મારફતે ચૂકવી હતી.

આરોપીએ ફરિયાદીને અમદાવાદના એડવોકેટ કેવલસિંહ રાઠોડ પાસે નવી અરજી લખાવવાનું કહ્યુંજે કેશોદ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી.પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતાજેમાં આરોપીએ આનાકાની કરતા આખરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

વાહનચાલકો આનંદો: એક્સપ્રેસ હાઇવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે,કનેક્ટ ગુજરાતની ટીમે કર્યું નિરીક્ષણ

દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે

New Update
  • વાહનચાલકો માટે મહત્વના સમાચાર

  • એક્સપ્રેસ હાઇવે સુરત સુધી થશે શરૂ

  • ભરૂચથી સુરત સુધીનો માર્ગ ખુલ્લો મુકાશે

  • તંત્ર દ્વારા કામગીરીને અંતિમ ઓપ અપાયો

  • ગણતરીની મિનિટોમાં સુરત પહોંચી શકાશે

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નજીકના દિવસોમાં એક્સપ્રેસવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ પણ કાર્યાન્વિત થઈ જાય તેવી આશા નજરે પડી રહી છે.
આજરોજ કનેક્ટ ગુજરાતની ટીમે એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અત્યાધુનિક બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે તો અંકલેશ્વર તરફના માર્ગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અમારી ટીમ જ્યારે એક્સપ્રેસ હાઈવે પર હતી ત્યારે એક કાર ચાલક સુરત તરફથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે આ સફરને ખૂબ જ સુખદ ગણાવી હતી.
એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી સુરત તરફનો ભાગ શરૂ થતા જ વાહનચાલકોનો કીમતી સમય પણ બચશે. તો આ તરફ ભરૂચ શહેરમાં પણ ટ્રાફિકજામની પરિસ્થિતિમાં રાહત મળી શકે છે. કારણ કે હમણાં એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ શહેરમાં થઈને નેશનલ હાઇવે નંબર 48 અથવા નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરીને અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યા હતા એક્સપ્રેસ હાઈવેનો આ ભાગ કાર્યરત થતાં તેઓ સીધા જ સૂરત જઈ શકશે.