જૂનાગઢ: ઓઝત-2 ડેમમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો,

જુનાગઢના ઓઝત બે ડેમમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેના કારણે સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે.

New Update
જૂનાગઢ જિલ્લાનો બનાવ
ઓઝત-2 ડેમમાંથી મળ્યો મૃતદેહ
સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર
કરંટ આપી સિંહની હત્યા કરાય હોવાની શંકા
વન વિભાગે તપાસ શરૂ કરી
જુનાગઢના ઓઝત બે ડેમમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેના કારણે સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે

જૂનાગઢના વિસાવદર તાલુકાના ઘંટીયાણ અને જુનાગઢ તાલુકાના થુંબાળા ગામની વચ્ચે ઓઝત બે ડેમનો પાણી ભરાવો થાય છે. તેમાં ગત 14 જૂન ના રોજ ગામ લોકોએ તે પાણીમાં એક સિંહના મૃતદેહને તરતો જોયો હતો. જેથી ગામ લોકોએ આગેવાનોને જાણ કરી.વન વિભાગને જાણ કરતા તે સ્થળ પર આવી મૃત સિંહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરેલ હતી. જેમાં પ્રથમ મૃત સિંહનું પીએમ કરી તેમના વિશેરા લઈ એફ એસ એલમાં મોકલવામાં આવેલ છે. અને મૃત સિંહને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ એ આસપાસના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.જેમાં નાની મોણપરી ગામના મોહનીશ ભાનુશંકરભાઈ રવૈયા ના ખેતરમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે તે ખેતરમાં અમુક શંકાસ્પદ રુવાટીઓ અને સિંહના ફૂટમાર્ક અનેક જગ્યાએ જોવા મળ્યા હતા. જેથી વન વિભાગે મોહનીશ ની ધરપકડ કરી તપાસ અર્થે લઈ ગયા હતા. તેમજ મોહનીશ સાથે અન્ય બે લોકોની પણ ધરપકડ શંકાના આધારે કરવામાં આવી હતી. પરંતુ તે બંને શંકાસ્પદોને રાત્રિના જ છોડી મૂકવામાં આવ્યા હતા. વન વિભાગની પૂછપરછમાં મોહનીશે ગુનો સ્વીકાર્યો ન હતો. જેથી વન વિભાગ એ તેમની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.