/connect-gujarat/media/post_banners/2d87aea1681766ce54fbd4211bf9c1e5440ed4592327cbb30f3a8fed72d16cf1.jpg)
જુનાગઢ શહેરના નરસિંહ મહેતા તળાવને ઊંડું કરવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતા ધારાસભ્ય સંજય કોરડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.
સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહમાં વધારો થાય તે હેતુ રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જુનાગઢ શહેરના નરસિંહ મહેતા તળાવ ઊંડું કરવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતા ધારાસભ્ય સંજય કોરડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. મહત્વનુ છે કે, હજુ સુધી પ્રથમ તબક્કાનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું નથી, ત્યારે ચોમાસુ નજીકમાં જ હોય તેવામાં વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોવાનો તંત્રનો દાવો પોકળ સાબિત થયો હોવાનું સાબિત થઈ રહ્યું છે. આ સાથે જ સંકલનના અભાવના કારણે અનેક ચોંકાવનારી વિગતો મળી રહી છે. ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને લખાયેલ પત્ર અંગે કોઈપણ પ્રકારની સ્થાયી સમિતિના ચેરમેનને જાણકારી ન હોવાની વિગતો જણાવી હતી. જોકે, 2 તબક્કામાં કામ ચાલતું હોવાનું સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ જણાવી સમગ્ર વિગત આપી હતી.