જુનાગઢ : દિવાળીની રજાઓમાં મજા માળવા સક્કરબાગ ઝૂમાં ઊમટ્યું સહેલાણીઓનું ઘોડાપૂર...

જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં દિવાળીની રજાઓમાં મજા માળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.

New Update
જુનાગઢ : દિવાળીની રજાઓમાં મજા માળવા સક્કરબાગ ઝૂમાં ઊમટ્યું સહેલાણીઓનું ઘોડાપૂર...

જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં દિવાળીની રજાઓમાં મજા માળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.

હાલ ચાલી રહેલી દિવાળી પર્વની રજાઓ અને વેકેશનની મજા માણવા લોકો વિવિધ ધાર્મિક દર્શનિય તેમજ ફરવા લાયક સ્થળોની મુલાકાતે ઉમટી પડ્યા છે, ત્યારે જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. નાના બાળકો તેમજ સહેલાણીઓએ પણ સક્કરબાગ ઝૂમાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓને જોઈ ખુશી વ્યક્ત કરી હતી. જોકે, શહેરના અનેક ફરવા લાયક સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડતા છેલ્લા ઘણા દિવસથી જુનાગઢમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.