જુનાગઢ : સરદાર પટેલ ભવન ખાતે રાજા રજવાડા અને અંગ્રેજો સમયનાં સિક્કાઓનું પ્રદર્શન બન્યું આકર્ષણનું કેન્દ્ર

જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ ભવન ખાતે અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રાચીન રાજા રજવાડા અને અંગ્રેજો સમયના સિક્કાની પ્રદર્શની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

New Update
  • જૂનાગઢમાં પ્રાચીન સુક્કાઓનું પ્રદર્શન

  • 40 જેટલા સ્ટોલ ઉભા કરાયા

  • રાજા રજવાડા અને અંગ્રેજો સમાન સિક્કા પ્રદર્શનીમાં મૂકાયા

  • પ્રદર્શન લોકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર

  • સિક્કાના સંગ્રહ કરનાર વેપારીઓએ લીધો ભાગ

જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ ભવન ખાતે અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રાચીન રાજા રજવાડા અને અંગ્રેજો સમયના સિક્કાની પ્રદર્શની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
જૂનાગઢ શહેરમાં સૌપ્રથમવાર જુના પૌરાણિક અલગ અલગ સ્ટેટના સિક્કાઓ અંગ્રેજોના સમયના રાણી સિક્કાઓનું પ્રદર્શન સરદાર પટેલ ભવન ખાતે શરૂ કરવામાં આવ્યું છે.જેમાં પૌરાણિક સિક્કાઓનું પ્રદર્શન લોકો નિઃશુલ્ક નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 1 જુન સુધી આ પ્રદર્શન શરૂ રાખવામાં આવ્યું છે. આયોજક અક્ષય કથીરિયાએ તેમજ હરેશ શાહ,રોનક સહિતના ઓર્ગેનાઇઝર દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માત્ર ગુજરાત જ નહિં પરંતુ મુંબઈ દિલ્હી ચેન્નાઈ સહિતના શહેરમાંથી પૌરાણિક સિક્કાના સંગ્રહ કરનાર વેપારીઓએ ભાગ લીધો છે.આજે કાર્યક્રમમાં ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ તેમજ મૂચકુંડ મંદિરના મહંત મહેન્દ્ર ગીરીબાપુ ઉપસ્થિત રહ્યા હતા. અને આપણી સંસ્કૃતિનો વારસો નિહાળી અભિભૂત થયા હતા.લોકોને પણ પૌરાણિક સિક્કાનું પ્રદર્શન જોવા ઇન્દ્રભારતી બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રદર્શનમાં 40 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા.તેમાં અલગ અલગ સિક્કા તેમજ જૂની ચલણી નોટો નવી ચલણી નોટો તેમજ એન્ટિક આઈટમો મોટા પ્રમાણમાં વેચાણ અર્થે મુકવામાં આવી હતી.
Read the Next Article

આણંદમાં રાહુલ ગાંધીએ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે કરી મુલાકાત

કોંગ્રેસના નેતાઓએ પોલીસ સાથે રકઝક કરી હતી, તેમ છતાં પોલીસે સુરક્ષાના કારણોને ટાંકીને પરિવારોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા નહોતી દીધી...

New Update
Rahul Gandhi Anand

ગુજરાતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આણંદના બંધન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ દરમિયાન વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના સમયે પરિજનોને ગુમાવનાર પીડિત પરિવારના10 જેટલા લોકો આવ્યા હતા. પરિવારો પોતાને ન્યાય મળે અને કેન્દ્ર સુધી પોતાનો અવાજ પહોંચે તે માટે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા.

તેઓ રાહુલ ગાંધીને મળીને પોતાની વાત રજૂ કરવા ઈચ્છતા હતા. જોકેપોલીસે આ લોકોને રાહુલ ગાંધીને મળવા જવા દેવાનો ઇન્કાર કરી દીધો હતો. પીડિત પરિવારો અને કોંગ્રેસના નેતાઓએ પોલીસ સાથે રકઝક કરી હતીતેમ છતાં પોલીસે સુરક્ષાના કારણોને ટાંકીને પરિવારોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા નહોતી દીધી.

પોલીસે કહ્યું કોઈપણ વ્યક્તિ જેની પાસે વિઝિટિંગ કાર્ડ ન હોય તેને પ્રવેશ મળી શકે નહીં. તેથી અમે ફક્ત અમારી ફરજ નિભાવી હતી. આ દરમિયાન પોલીસના વલણ પર કોંગ્રેસી કાર્યકરો રોષે ભરાયા હતા. ઘટનાસ્થળે હાજર કોંગ્રેસના કાર્યકરોનું કહેવું હતું કેદર વખતે આવુ કરવામાં આવે છે.રાજકોટ આગ દુર્ઘટના અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના વખતે પણ પીડિતોના પરિવારોને મળતા અટકાવાયા હતા.અને આ વખતે પણ આવું જ કરાયું. તેમણે કહ્યું રાહુલ ગાંધી પાસે પોતાની ખુદની પણ સિક્યોરિટી છેતેથી સુરક્ષાના નામે પોલીસ ફક્ત સત્ય છુપાવવાનો પ્રયાસ કરે છે. જો કે બાદમાં ખુદ રાહુલ ગાંધીએ પીડિતોના પરિવારોને મળવા માટે બોલાવ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી.

Latest Stories