જુનાગઢ : સરદાર પટેલ ભવન ખાતે રાજા રજવાડા અને અંગ્રેજો સમયનાં સિક્કાઓનું પ્રદર્શન બન્યું આકર્ષણનું કેન્દ્ર

જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ ભવન ખાતે અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રાચીન રાજા રજવાડા અને અંગ્રેજો સમયના સિક્કાની પ્રદર્શની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

New Update
  • જૂનાગઢમાં પ્રાચીન સુક્કાઓનું પ્રદર્શન

  • 40 જેટલા સ્ટોલ ઉભા કરાયા

  • રાજા રજવાડા અને અંગ્રેજો સમાન સિક્કા પ્રદર્શનીમાં મૂકાયા

  • પ્રદર્શન લોકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર

  • સિક્કાના સંગ્રહ કરનાર વેપારીઓએ લીધો ભાગ

જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ ભવન ખાતે અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રાચીન રાજા રજવાડા અને અંગ્રેજો સમયના સિક્કાની પ્રદર્શની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
જૂનાગઢ શહેરમાં સૌપ્રથમવાર જુના પૌરાણિક અલગ અલગ સ્ટેટના સિક્કાઓ અંગ્રેજોના સમયના રાણી સિક્કાઓનું પ્રદર્શન સરદાર પટેલ ભવન ખાતે શરૂ કરવામાં આવ્યું છે.જેમાં પૌરાણિક સિક્કાઓનું પ્રદર્શન લોકો નિઃશુલ્ક નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 1 જુન સુધી આ પ્રદર્શન શરૂ રાખવામાં આવ્યું છે. આયોજક અક્ષય કથીરિયાએ તેમજ હરેશ શાહ,રોનક સહિતના ઓર્ગેનાઇઝર દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માત્ર ગુજરાત જ નહિં પરંતુ મુંબઈ દિલ્હી ચેન્નાઈ સહિતના શહેરમાંથી પૌરાણિક સિક્કાના સંગ્રહ કરનાર વેપારીઓએ ભાગ લીધો છે.આજે કાર્યક્રમમાં ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ તેમજ મૂચકુંડ મંદિરના મહંત મહેન્દ્ર ગીરીબાપુ ઉપસ્થિત રહ્યા હતા. અને આપણી સંસ્કૃતિનો વારસો નિહાળી અભિભૂત થયા હતા.લોકોને પણ પૌરાણિક સિક્કાનું પ્રદર્શન જોવા ઇન્દ્રભારતી બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રદર્શનમાં 40 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા.તેમાં અલગ અલગ સિક્કા તેમજ જૂની ચલણી નોટો નવી ચલણી નોટો તેમજ એન્ટિક આઈટમો મોટા પ્રમાણમાં વેચાણ અર્થે મુકવામાં આવી હતી.
Read the Next Article

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

New Update
  • થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા

  • હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા

  • બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા

  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.