જુનાગઢ : કેશોદના પાણખાણ ગામે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ, 2 પરિવારના ઝઘડામાં વૃદ્ધ ખેડૂતની હત્યા, 5 લોકો ઘાયલ

કેશોદ તાલુકાના પાણખાણ ગામમાં પાડોશી ખેડૂત પરિવારો વચ્ચે માથાકૂટમાં એક વૃદ્ધની હત્યા થઈ હતી, જ્યારે 5 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાતા પોલીસ કાફલો દોડી આવ્યો

New Update
  • કેશોદ તાલુકાના પાણખાણ ગામે ખેલાયો ખૂની ખેલ

  • પાણખાણમાં શેઢા પાડોશી વચ્ચે થઈ હતી માથાકૂટ

  • 2 પરિવારના ઝઘડો ઉગ્ર બનતા વૃદ્ધ ખેડૂતની હત્યા

  • મારામારીમાં અન્ય 5 લોકોને પણ પહોચી ગંભીર ઇજા

  • ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો 

Advertisment

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાણખાણ ગામમાં પાડોશી ખેડૂત પરિવારો વચ્ચે માથાકૂટમાં એક વૃદ્ધની હત્યા થઈ હતીજ્યારે 5 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસારજુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાણખાણ ગામમાં રહેતા 62 વર્ષીય પીઠરામ રાયમલ ગાંગણાં અને તેમના પાડોશી વચ્ચે જમીન સંબંધિત જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. શેઢા વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં બનેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથો અથડાયા હતા.

આ અથડામણમાં પીઠરામ ગાંગણાંને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઉપરાંત 5 જેટલા વ્યક્તિઓને પણ ઇજાઓ પહોંચી હતી. જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 2 વ્યક્તિઓને વધુ ગંભીર ઈજાઓ થતાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.

2 પરિવારો વચ્ચે થયેલી માથાકૂટ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું. તો બીજી તરફકેશોદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હત્યા અંગે કેશોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ વિસ્તારમાં શાંતિ જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત સજ્જુ કોઠારીની મિલકત પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર, સરકારી જમીન પરના દબાણ દૂર કરાયા...

કુખ્યાત સજ્જુ પર ખંડણી, મારામારી, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું

New Update
Sajju Kothari Property
  • મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલિશન હાથ ધરાયું

  • માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું

  • સજ્જુ કોઠારીએ સરકારી જમીન ઉપર કર્યું હતું દબાણ

  • કુખ્યાત પર ખંડણી-મારામારી સહિતના ગુના નોંધાયા

  • અઠવા પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાય 

Advertisment

સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું છે. સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું. કુખ્યાત સજ્જુ પર ખંડણીમારામારીગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું હતું.

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે દબાણ વિરુદ્ધ તંત્રએ મોટા પગલાં ભરતાં ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને લગભગ 30 જેટલા ગુનાઓમાં સામેલ અને ગૂજસીટોકના આરોપી માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. નાનપુરા વિસ્તારમાં ઝમરૂખ ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલ મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી. તંત્રના અહેવાલ પ્રમાણેસજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને અનેક દુકાનો ઉભી કરી હતી.

આ દુકાનોમાંથી ભાડે દુકાન આપીને દર મહિને 7 હજારથી 15 હજાર સુધીની આવક મેળવાતી હતી. દુકાનદારો દ્વારા ભંગારગેરેજ સામાનઇતર અને પરફ્યુમ જેવા સામાન વેચવામાં આવતા હતા. જેલમાં રહી પણ તે ભાડું વસૂલતો હતો. પાલિકા અને પોલીસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરતા દુકાનદારોએ દુકાનમાંથી માલ-સામાન કાઢવા દોડાદોડી કરી હતી. ઈતર અને પ્રફ્યુમડબ્બાઓભંગારના પોટલાંગેરેજના ટૂલ્સ તેમજ અન્ય સામાન લોકો હડબડીમાં બહાર લાવતા જોવા મળ્યા હતા. જોકેતંત્રએ લોકોને સમય આપીને દબાણ ખાલી કરાવ્યું હતું.

સજ્જુ કોઠારી નામના આ શખ્સ વિરુદ્ધ અગાઉથી અન્ય ગુનાઓના પણ 30 જેટલા કેસ નોંધાયા છે. હાલમાં પણ તેના વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં બંદૂક બતાવીને ધમકી આપવાનો કેસ નોંધાયો છે. આ કામગીરી પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામના મુદ્દે હવે અન્ય સંબંધિત સરકારી એજન્સીઓ પણ સજ્જુ કોઠારીની અન્ય મિલકતો અને મિલકતના સ્ત્રોતોની તપાસ કરશે.

Advertisment