/connect-gujarat/media/post_banners/0c24c2174c3bc8d9e43762b7de1da47e324f1e131c216da6cf58ec5ca661d59d.jpg)
જૂનાગઢની જેલમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે જેમાં હિન્દુ કેદીઓ ચૈત્રી નવરાત્રિના ઉપવાસ રાખી રહ્યા છે તો બીજી તરફ મુસ્લિમ કેદીઓ દ્વારા રમઝાન માસના રોઝા રાખવામા આવી રહ્યા છે.
આ દ્ર્શ્યોમાં એક તરફ જુનાગઢ જેલમાં રહેલા હિન્દુ કેદીઓ માતાજીની આરાધના કરી રહ્યા છે તો બીજી તરફ મુસ્લિમ બિરાદરો નમાજ પઢી રહ્યા છે. ચૈત્ર નવરાત્રી અને રમઝાન બન્ને ધાર્મિક તહેવારો એકસાથે ચાલતા હોય કેદીઓ પણ એકબીજાના ધર્મને માન આપી રહ્યા છે.હિન્દુ કેદીઓએ મુસ્લિમ બિરાદરોને રોજા છોડાવ્યા અને મોં મીઠું કરાવ્યું તો મુસ્લિમ બિરાદરોએ હિન્દુઓને કેસરી ખેસ પહેરાવી નવાજ્યા હતા.આમ જૂનાગઢની જેલમાં એક તરફ માતાજીની સ્તુતિ અને વંદના ચાલતી હોય ને બીજી તરફ નમાજ અને રોજાની નેમ લેવાતી હોય એવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા.આ અંગે જેલર એચ.ઓ.વાળા એ જણાવ્યું હતું કે જેલમાં જે રીતે ધાર્મિક એકતાથી તહેવારોની ઉજવણીથી કેદીઓમાં હકારાત્મક વલણ અને અપનિયત જોવા મળે એ ખૂબ સારી વાત છે.