જુનાગઢ :ઋતુજન્ય બીમારીમાં વધારો,સિવિલ હોસ્પિટલ ખાતે બે માસમાં શરદી, ઉધરસ,તાવના 290 કેસ નોંધાયા

ડિસેમ્બર,જાન્યુઆરી માસમાં સિવિલ હોસ્પિટલ ખાતે 290 કેસ શરદી,ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા છે.તેમજ ઝાડા-ઉલટીના 150 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા બે માસમાં ડેન્ગ્યુના 24 અને ટાઈફોડના 23 કેસ નોંધાવા પામ્યા

New Update
  • મિશ્ર ઋતુના પરિણામે બીમારીમાં વધારો

  • શરદી,ઉધરસ,તાવના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ

  • સિવિલ હોસ્પિટલમાં બે મહિનામાં નોંધાયા 290 દર્દી

  • ઝાડા ઉલ્ટીના 150 દર્દીઓએ લીધી સારવાર

  • ડેન્ગ્યુ અને ટાઇફોડના દર્દીઓમાં પણ થયો વધારો

જૂનાગઢમાં ઋતુજન્ય બીમારીએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે,જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં બે માસમાં શરદી ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે,અને અત્યાર સુધીમાં 290 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

જૂનાગઢમાં મિશ્ર ઋતુના પરિણામે શરદી,ઉધરસ,તાવ તેમજ ઝાડા-ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે.સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે માહિતી આપતા જણાવ્યું કે ડિસેમ્બર,જાન્યુઆરી માસમાં સિવિલ હોસ્પિટલ ખાતે 290 કેસ શરદી,ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા છે.તેમજ ઝાડા-ઉલટીના 150 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા બે માસમાં ડેન્ગ્યુના 24 અને ટાઈફોડના 23 કેસ નોંધાવા પામ્યા છે.

મિશ્ર ઋતુને લઈને લોકોએ સાવચેત રહીને શરદી,ઉધરસ,તાવાનાં લક્ષણો  જણાય તો તબીબનો સંપર્ક કરી યોગ્ય સારવાર કરાવવી જોઈએ,તેમજ નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું અને હૃદયરોગ ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ મુજબ સારવાર ચાલુ રાખવી માટેની સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.