જુનાગઢ : પાણીની સમસ્યાથી ત્રસ્ત શીતલનગરના સ્થાનિકોએ મેયર સહિતના અધિકારીઓનો ઘેરાવો કરી ઉધડો લીધો...

સ્થાનિકોએ વિવિધ સમસ્યાઓને લઈને મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓનો ઘેરાવો કરી ઉધડો લીધો હતો. લોકોની રજૂઆત હતી કે, તેમના વિસ્તાર શીતલ નગરમાં પીવાના પાણીની લાઈન હજુ સુધી આપવામાં આવી નથી.

New Update
  • શીતલનગર વિસ્તારના સ્થાનિકોને વિવિધ સમસ્યાઓથી હાલાકી

  • મનપા દ્વારા નરસિંહ મહેતા સરોવર પાસે ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ

  • મેયર સહિતના અન્ય પદાધિકારીએ કર્યું પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ

  • સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ પદાધિકારીઓનો ઘેરાવો-ઉધડો લીધો

  • ગટરનું પાણી બોરમાં ભળી જતું હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ 

જુનાગઢ શહેરના શીતલનગર વિસ્તારના સ્થાનિકોએ વિવિધ સમસ્યાઓને લઈને મેયર સહિતના પદાધિકારીઓનો ઘેરાવો કરી ઉધડો લીધો હતો. જેમાં પીવાના પાણીની લાઈન આપી ન હોવાનો તેમજ ગટરનું પાણી બોરમાં ભળી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા.

જુનાગઢ શહેરના શીતલનગર વિસ્તારમાં નરસિંહ મહેતા સરોવર પાસે બનાવવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાતે જુનાગઢના મેયરડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. હાલ ચોમાસાની ઋતુ નજીક છેત્યારે નરસિંહ મહેતા સરોવર આજુબાજુના વિસ્તારમાં ગત વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ ન થાય જેને લઇને નિરીક્ષણની કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન સ્થાનિકોએ વિવિધ સમસ્યાઓને લઈને મેયરડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓનો ઘેરાવો કરી ઉધડો લીધો હતો. લોકોની રજૂઆત હતી કેતેમના વિસ્તાર શીતલ નગરમાં પીવાના પાણીની લાઈન હજુ સુધી આપવામાં આવી નથી.

જોકેજુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પરંતુ તે ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેના કારણે ગટરનું પાણી સ્થાનિકોના બોરમાં ભળી ગયું છે. જેથી લોકો તે પાણીનો ઉપયોગ કરી શકતા નથીઅને ચોમાસા દરમિયાન શીતલ નગરનો વિસ્તાર નીચાણવાળો હોવાથી ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે. આ તમામ સમસ્યાઓને લઈને મેયર તેમજ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે જ વહેલી તકે સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી છે. આ મામલે અધિકારી દ્વારા લોકોને ખાતરી આપવામાં આવી છે કેતમામ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે.

Read the Next Article

સુરત : એરપોર્ટને નડતરરૂપ બહુમાળી ઈમારતનો મુદ્દો ગરમાયો,ક્રેડાઈ દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

New Update
  • એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના સર્વેનો મામલો

  • ક્રેડાઈ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજૂઆત

  • એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવશે માહિતી

  • નડતરરૂપ બિલ્ડિંગ અંગે આપવામાં આવશે માહિતી

  • બિલ્ડિંગ ઓનર દ્વારા ન્યાયાલય સમક્ષ ન્યાયની માંગ  

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઝડપથી આ દિશામાં કોઈ નિર્ણય લેશે તેવી આશા બંધાઈ છે. તો બીજી તરફ ક્રેડાઈ દ્વારા આ મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદમાં થયેલી ઘટના બાદ હવે સુરતના લોકોના પણ જીવ તાળવે ચોંટી ગયા છે. માત્ર ઈમારતમાં રહેતા લોકો જ નહીં પરંતુ જે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે તેમના માટે પણ આ એક મોટો ચિંતાનો વિષય છે. નડતરરૂપ બિલ્ડિંગોને દૂર કરવામાં આવે તો સુરતમાં આવતી ફ્લાઇટ કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી લેન્ડિંગ થઈ શકશે. આ બાબતને લઈને કલેક્ટરે પણ પોતાની ગંભીરતા હાલ દાખવી છે. નડતરરૂપ બિલ્ડિંગો કઈ કઈ છે તે અંગે માહિતી એરપોર્ટ ઓથોરિટી આપી શકે છે. તેમની સૂચના બાદ જ જે બિલ્ડિંગો નડતરરૂપ જણાશે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને જાણ કરશે કઈ કઈ બિલ્ડિંગોનો કેટલો ભાગ ઉતારી લેવા જેવો છે અને ત્યાર બાદ કલેક્ટર કોર્પોરેશન પાસે મેનપાવર અને મશીનરી પાવર માંગી નડતર દૂર કરવાની કાર્યવાહી કરશે.જોકે આ બધી કાર્યવાહીને પગલે બિલ્ડીંગ ઓનરોમાં ફફડાટ વ્યાપી ગયો છે,અને તેઓએ આ મુદ્દે કોર્ટ સમક્ષ ન્યાયની માંગ કરી છે.