જૂનાગઢ : ધારાગઢ દરવાજા વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી, 50 કરોડની 16 હજાર ચો.મી.જમીન ખુલ્લી કરાઈ

જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઇ છે. 3 DYSP, 9 PI, 26 PSI સહિત 260થી વધુનો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

New Update
  • ધારાગઢમાં ડિમોલિશનની કામગીરીનો મામલો

  • 59 મકાનોને અપાઈ હતી નોટિસ

  • 50 કરોડની જમીન ખુલ્લી કરાઈ

  • 16,000 ચો.મી.માં કરાયું ડિમોલેશન

  • 10 ટ્રેક્ટર અને 10 જેસીબીની લેવાઈ મદદ

જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઇ છે. 3 DYSP, 9 PI, 26 PSI સહિત 260થી વધુનો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. 100થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.

જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.પ્રથમ તબક્કાની ડિમોલિશનની કાર્યવાહીમાં 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.16 હજાર ચોરસ મીટર જમીન પર ડિમોલિશનની કાર્યવાહી કરાઇ છે.આ કાર્યવાહીમાં 10 ટ્રેકટર અને 10 જેસીબીની મદદ લેવાઇ હતી.અને 400થી વધુ પોલીસ જવાનોનો સાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે.

પ્રાંત અધિકારી એસડીએમ ચરણસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર દબાણકારો પાસે કોઈ પણ પ્રકારના આધાર-પુરાવા ન હતા અને તેમને કલમ 61ની નોટીસ અને 202 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ડ્રોન દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.