-
ધારાગઢમાં ડિમોલિશનની કામગીરીનો મામલો
-
59 મકાનોને અપાઈ હતી નોટિસ
-
50 કરોડની જમીન ખુલ્લી કરાઈ
-
16,000 ચો.મી.માં કરાયું ડિમોલેશન
-
10 ટ્રેક્ટર અને 10 જેસીબીની લેવાઈ મદદ
જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઇ છે. 3 DYSP, 9 PI, 26 PSI સહિત 260થી વધુનો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. 100થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.
જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.પ્રથમ તબક્કાની ડિમોલિશનની કાર્યવાહીમાં 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.16 હજાર ચોરસ મીટર જમીન પર ડિમોલિશનની કાર્યવાહી કરાઇ છે.આ કાર્યવાહીમાં 10 ટ્રેકટર અને 10 જેસીબીની મદદ લેવાઇ હતી.અને 400થી વધુ પોલીસ જવાનોનો સાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે.
પ્રાંત અધિકારી એસડીએમ ચરણસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર દબાણકારો પાસે કોઈ પણ પ્રકારના આધાર-પુરાવા ન હતા અને તેમને કલમ 61ની નોટીસ અને 202 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ડ્રોન દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.